નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોતને પોતાની સામે જોઈ, બનાવી નાંખ્યું અંતિમ ઈચ્છાઓનું લિસ્ટ


એલિસ પોતાની બીમારી વિશે બ્લોગ પર ખૂલીને વાત કરે છે

ફેસબુક પર તેના ચાહકોએ પણ ટેને બોનમેરો આપવાની ઈચ્છા દર્શાવી છે


બ્રિટનની 15 વર્ષીય એલિસ પાએને હોકિંગ્સ લિંફોમા કેન્સરની દર્દી છે. આ જીવલેણ બીમારીનું લાંબુ નામ પણ એલિસના માસૂમ ચહેરા પરથી સ્મિત છીનવી શક્યું નથી. જેવો તેને પોતાની બીમારીનો અહેસાસ થયો કે તેણે પોતાની વેબસાઇટ પર પોતાની ઈચ્છાઓનું લિસ્ટ અપડેટ કરવાની સ્પીડ વધારી દીધી.

એલિસ પોતાના પિતા વિકી, મા સિમન અને નાની બહેન મિલી સાથે રહે છે. તેનો પરિવાર પણ તેને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. ત્યાં જ બીજી બાજુ એલિસ પોતાની બીમારી વિશે બ્લોગ પર ખૂલીને વાત કરે છે, જ્યાં તેના હજાર કરતા વધારે ચાહનારાઓ છે.

શાર્ક માછલીઓ સાથે તરવુ, દરેક માણસ પાસે બોનમેરો ડોનર તરીકે સાઇન કરાવવી, કેન્યા જવું, મિલી ક્લેરિસા, સેમી અને મેગ્સ સાથે ફોટો પડાવવા, એમા બ્રિજવોટર મગ બનાવીને ચેરિટી માટે વેચવો, કારવાનમાં રોકાવુ, આઈપેડ ખરીદવું, ડોલ્ફિન ટ્રેનર બનવું, કેડબરી વર્લ્ડ જવું, વ્હેલ માછલીઓ જોવી અને તેના વાળમાંથી થઈ શકે તો કોઈ ઉપયોગ કરવો જેવી ઈચ્છાઓનું લિસ્ટ તેમણે બનાવી રાખ્યું છે.

3 વર્ષ પહેલા એલિસને કેન્સર વિશે ખબર પડી હતી. તેમની કીમોથેરેપી અને રેડિયો થેરેપી જેવા ઈલાજ પણ કરવામાં આવ્યા હતા. આ પછી તેના જ સેલ્સને ટ્રીટ કર્યા પછી સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ફેસબુક પર તેના ચાહકોએ પણ ટેને બોનમેરો આપવાની ઈચ્છા દર્શાવી છે, પણ બોનમેરો મેચ થવો પણ એટલો જ જરૂરી છે. બધી કોશિશો પછી પણ આગળ શું થશે તે તો સમય જ જણાવશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!