નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હિમયુગે ખખડાવી દીધો છે ધરતીનો દરવાજો!

અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે

જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે

ધરતી આવનારા 10 વર્ષમાં હિમયુગનો સામનો કરશે. આ દાવો વૈજ્ઞાનિકોએ સૂરજની અસામાન્ય ગતિવિધિઓ જોયા પછી કર્યો છે. વૈજ્ઞાનિકોનો તર્ક છે કે સૂરજની અસામાન્ય ગતિવિધિઓના પરિણામ સ્વરૂપે વર્ષ 2020 પછી ગ્લોબલ વોર્મિંગ ઓછુ થશે. અમુક ચોક્કસ વર્ષ માટે સૂરજ ગાયબ થઈ જશે.

જો કે સૂરજના ઠંડા થવાના ઘણા બધા ફાયદા પણ સામે આવશે, પરંતુ સેટેલાઇટ અને ઉર્જા તંત્રમાં ફેરફાર ચોક્કસ આવી શકે છે. બ્રિટનની રાષ્ટ્રીય સૌર વેધશાળાના મુખ્ય શોધકર્તા ફ્રેંક હિલ અને તેમની ટીમ સૂરજના ધબ્બાઓમાં 3 પ્રકારના પરિવર્તનના આધારે આ ભવિષ્યવાણી કરી રહી છે.

તેમાં સૂરજના ધબ્બા નબળા થવા, સૂરજના ધ્રૂવોમાંથી કેટલીક ધારાઓ નીકળવી અને સૂર્ય ધારાઓને પ્રભાવિત થવી પણ સામેલ છે. સંશોધનના સહલેખક ભૌતિકવિદ ડો. રિચર્ડ એલ્ટ્રોકે જણાવ્યું છે કે આ 3 સંકેત દર્શાવે છે કે સૂરજની આવી અવસ્થા પાછી આવવામાં સમય લાગશે.

પહેલા પણ બન્યું છે!

સૂરજના ધબ્બા ગાયબ થવા એ કોઈ અનોખી ઘટના નથી, આવુ પહેલા પણ બની ચૂક્યું છે, પરંતુ 18મી સદી પછી આવો કિસ્સો ક્યારેય નથી બન્યો. ફ્રેંક હિલે જણાવ્યા પ્રમાણે સૂરજ ચક્ર ભંગ થવા જઈ રહ્યું છે.

આ શાંતિ શા માટે?

વૈજ્ઞાનિકોને એ સમજમાં નથી આવી રહ્યું કે સૂરજ શાંત શા માટે થઈ રહ્યો છે. સંશોધન સાથે જોડાયેલા પેન જણાવે છે કે સૂર્ય ધબ્બાઓની ચુંબકીય ક્ષેત્રની તાકાતમાં સન 1998 પછી સતત ઘટાડો થયો છે. જો આ ઘટાડો સતત ચાલતો રહેશે તો 2022 સુધી સૂર્યના ધબ્બા નબળા પડી જશે, જેનાથી આવી પરિસ્થિતિ સર્જાશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!