નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પોસ્ટ ઓફિસમાં બચત ખાતા પર આપવો પડશે ટેક્સ!

 
- વ્યક્તિગત ખાતાઓ પર વાર્ષિક 3500 રૂપિયાથી વધુ વ્યાજ પર ટેક્સ
- સંયુકત ખાતાઓના મામલામાં રૂપિયા 7000થી વધુ વ્યાજની રકમ પર ટેક્સ
- પોસ્ટ ઓફિસ બચત ખાતા પર વાર્ષિક 3.5 ટકા વ્યાજ આપે છે
- જ્યારે બેન્કોના સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજની રકમ 4 ટકા છે

જો તમે પણ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી રાખ્યું છે તો આ સમાચાર સીધા તમારા સાથે જોડાયેલા છે. જો કે વાત એમ છે કે સરકારે પોસ્ટ ઓફિસમાં બચત ખાતા પર મળતા વ્યાજને ઇન્કમ ટેક્સના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે. 2011-12 એટલે કે ચાલુ નાણાંકીય વર્ષથી જ આ નિયમ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટી એ આ નવા નિયમને લઇને આવેદન પણ રજૂ કરી દીધું છે. આ આવેદનપત્ર પ્રમાણે વ્યક્તિગત ખાતાઓ પર વાર્ષિક 3500 રૂપિયાથી વધુ વ્યાજ પર ટેક્સ આપવો પડશે. જ્યારે સંયુકત ખાતાઓના મામલામાં રૂપિયા 7000થી વધુ વ્યાજની રકમ પર ટેક્સ આપવો પડશે.

તમને એ પણ બતાવી દઇએ કે પોસ્ટ ઓફિસ બચત ખાતા પર વાર્ષિક 3.5 ટકા વ્યાજ આપે છે. જ્યારે બેન્કોના સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજની રકમ 4 ટકા છે. પરંતુ અત્યાર સુધી પોસ્ટ ઓફિસમાં મળનાર વ્યાજ પૂરી રીતે કરમુક્ત હતું.

પોસ્ટ ઓફિસમાં મોટાભાગે નાના શહેરોના લોકો અને સિટીજન નાણાં રાકે છે. હવે તેના પર પડશે ટેક્સનો માર.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!