એસએમએસ છે વ્યક્તિત્વનું દર્પણ
- આખો દિવસ મેસેજ ટોનથી રણકતા રહે છે યુવા વર્ગના મોબાઈલ
- વ્યક્તિ ક્રિમિનલ, નિંદાખોર, લાગણીશીલ કે ધૂની છે તેનો આછો-પાતળો ખ્યાલ તેના SMS થકી મળી જાય છે
જીવન માત્ર કોઈના ઈન્તજાર કરવા માટે નથી કે જે તમારા માટે સર્જાયા હોય, પરંતુ, જીવન તો એવા માટે જીવવા લાયક છે કે જે તમારા લીધે જીવતા હોય.’’
આ SMS આવતા જ મેનેજમેન્ટ નિષ્ણાંત રાહુલ જાણી ગયો કે સુધીર હજુ ભાંગી તૂટેલી મનોદશામાંથી સાવ મુક્ત થયો નથી. સુધીર તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ તૂટી ગયા બાદ તદ્દન હતાશ થઈ ગયો હતો. કેટલાક લોકો ખૂબ નિરાશ કે હતાશા અનુભવે ત્યારે જાણ્યે-અજાણ્યે તેઓ આ પ્રકારના મેસેજ તેમના મિત્રો, સ્નેહીજનોને ફોરવર્ડ કરતા રહે છે.
જોકે આ માટે તેમનો હેતુ પોતાની જિંદગી બીજાની સમક્ષ ખુલ્લી કરવાનો હોતો નથી. પરંતુ આ બધુ અનિયંત્રિત મનોદશામાં થતું રહે છે આવી જ રીતે કેટલાક લોકો ખૂબ ખુશી કે અત્યંત આવેશમાંઆવીને પણ ચોક્કસ હેતુના SMS ફોરવર્ડ કરતા રહે છે.
જે મોબાઈલ ધારક તમને SMS મોકલે તેની માનસિકતા કેવા પ્રકારની છે, આ વ્યક્તિ કેવા સમયે શું કરી શકે ? તેવી માનસિક બાબતો તેમના મેસેજ ઉપરથી કળી શકાય છે. આજે તો દરરોજ-૨૦-૨૫ SMS કરવા એ ઘણા યુવાનોની મજબૂરી બની ગઈ છે.
કેટલાક યુવાનોના મોબાઈલ આખો દિવસ SMSના ટોનથી ગુંજતા રહે છે. આનો મતલબ એ નથી કે તેના SMS અત્યંત અગત્યના હોય છે પરંતુ તેઓ પણ આ મેસેજ મોકલનારા મિત્રોથી કંટાળી ગયા હોય છે પણ ના પાડી શકાતી નથી! કે મોબાઈલમાં મેસેજ સાવ બંધ કરવા શક્ય નથી. મેસેજ મોકલનારાઓને તેમના લીધે અન્યને ભોગવવી પડતી હેરાનગતિનો ખ્યાલ હોવા છતાં તેઓ પાસે પણ SMS કર્યા. સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી.
મેસેજ અને માનસિકતાએ મનોવિજ્ઞાનમાં પણ રસપ્રદ વિષય છે. મેસેજ વાંચતાં જ મોકલનારો ક્યા પ્રકારની લાગણી અનુભવી રહ્યો છે તેની સ્થિતિનો થોડો ખ્યાલ આવી જાય છે. કેટલાક લોકો ખૂબજ ચિંતા, વિશ્વાસઘાત, પ્રણયભંગ કે દુ:ખમાં આવી પડ્યા હોય ત્યારે મેસેજના સહારે હોય છે. તેમના મેસેજના શબ્દો પણ નિરાશાવાદી હોય છે કારણ કે તેમને આવા મેસેજ વધુ આકર્ષે છે. તેનું અર્ધ જાગૃત મન મેસેજને ફોરવર્ડ કરાવે છે. આવ, લોકો માત્ર અત્યંત દુ:ખ જ નહીં પણ ખુબ હર્ષમાં પણ મેસેજ કરવા લાગે છે, જાતને રોકી શકતા નથી!
લાગણીશીલ લોકોને સમજવું અઘરૂં છે. આ પ્રકારના લોકો તમને બે-ત્રણ મેસેજ કર્યા બાદ તમારી પાસે પણ વળતા SMS ની પૂરી અપેક્ષા રાખે છે. જો તમે SMS થકી જવાબ દેવાનું નહીં રાખો તો તેમના મેસેજ આવતા બંધ થઈ જશે. આ જ રીતે ક્રિમિનલ માનસિકતા ધરાવતા લોકો સતત અશ્લીલ મેસેજનો મારો ચલાવતા રહે છે. તેમના SMS માં નગ્નતા ઉભરી આવે છે, વિકૃત્તિઓથી ભરેલા લોકો નિરર્થક મેસેજ મોકલાવી એક પ્રાકરે પાશવી આનંદ મેળવતા હોય છે જેમ કે વહેલી સવારે ગુડનાઈટનો મેસેજ મોકલાવી ખડખડાટ હસે છે.
આ વિકૃતિ છે. તો નિંદાખોર લોકો સતત આકૃતિ વડે કે લખાણ દ્વારા સામેવાળી વ્યક્તિ કે અન્ય કોઈની નિંદાનો મારો SMSના માધ્યમથી ચલાવતા હોય છે. આ રીતે SMS થકી વ્યક્તિની માનસિકતાની ખબર પડી જાય છે.
મેસેજના વ્યસનીઓની દુનિયાSMS તો આજે તદ્દન સાહજિક વૃત્તિ થઈ ગઈ છેપરંતુ અડધી રાત્રે ૩-૧૦ કલાકે એકાએક તમારા મોબાઈલમાં મેસેજ ટોન રણકે અને તેમાં જીવનમાં કશુંક પામવા માટે કાંઈક ગુમાવવું પડે છે તેવો ચવાઈ ગયેલા ક્વોટનો મેસેજ આવે તો મોકલનારાને શું કહેશો ? તમે ગમે તે કહો પણ આવા લોકો મજબૂરીવશ મેસેજ મોકલતા જ રહેશે. આવા લોકોને એક રીતે મેસેજનું વ્યસન છે. તેમ કહી શકાય. જ્યાં સુધી તેઓ ટાર્ગેટ મુજબ મેસેજ ફોરવર્ડ ન કરે ત્યાં સુધી તેઓ માનસિક અસ્વસ્થતા અનુભવે છે અને દિવસનો મોટો સમયગાળો મેસેજ કરવામાં વ્યર્થ રીતે ખર્ચી નાંખે છે
Comments
Post a Comment