નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બિભત્સ કપડા તોડી શકે છે, તમારી લગ્નની ગાંઠ

હનીમૂન પર બિભત્સ કપડાં પહેરતા પહેલા આ ચોક્કસ વાંચજો

દિલ્હીના એક પતિએ પત્નીને આપી દીધા છૂટાછેડા


ક્યારેક સેક્સી કપડાં તમારા પતિને તમારી તરફ આકર્ષી શકે છે, તો ક્યારેક એવું પણ બને કે એવા જ સેક્સી કપડાં તમને પતિથી દૂર કરી નાંખે. નવી દિલ્હીની એક મહિલાને હનીમૂન દરમિયાન ખૂલતો અને ગ્લેમરસ ડ્રેસ પહેરવો બહુ મોંઘો પડ્યો.

આ પતિએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે તેની પત્નીએ તેમના હનીમૂન દરમિયાન એકદમ વલ્ગર કપડાં પહેર્યા હતા. તેના પતિએ તેને આવા કપડાં બદલી નાંખવા માટે પણ કહ્યું હતું, કારણ કે તેના કારણે કેટલાંય લોકોનું ધ્યાન વારંવાર તેના પર જતું હતું, જે આ પતિને ગમતું નહોતું.

આ પછી કોર્ટે તે મહિલાના સસરાની પણ આ બાબતે પૂછપરછ કરી. આ સામે મહિલાના માતા-પિતાએ પણ દહેજ રૂપે આપેલા નાણાં પાછા લેવાની માંગ કરી, પરંતુ કોર્ટે તેમની બધી માંગણી ફગાવી દીધી છે અને બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

Comments

Popular posts from this blog

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!