નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓસ્ટ્રેલિયામાં ભીષણ આગમાં 59 મકાનો બળીને ખાખ

 
>>બે વર્ષ પહેલા વિક્ટોરિયામાં લાગેલી આગમાં 173 લોકો હોમાયા હતાં
>>મકાન ગુમાવનારને સરકાર દ્વારા 3000 ડોલરની સહાય આપવામાં આવશે

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં પર્થમાં ફાટી નીકળેલી આગમાં 59 ઘર નષ્ટ થઈ ગયા છે. આ વિસ્તારમાં રહેતા લોકોને સરકારે ઘર છોડીને જતાં રહેવાની અપીલ કરી છે. સમાચાર પત્ર ‘મોર્નિંગ હેરાલ્ડના’ જણાવ્યા પ્રમાણે ગયા અઠવાડિયે લાગેલી આગમાં અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા છે. ત્યાર બાદ આ વિસ્તારમાં કુદરતી ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે બે વર્ષ પહેલા દક્ષિણ પ્રાંત વિક્ટોરિયામાં લાગેલી આગમાં 173 લોકોના મોત થયા હતાં. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે રવિવારે સવાર સુધી આગની ઝપટમાં 40 મકાનો આવી ગયા હતાં, ત્યાર બાદ આ સંખ્યા વધીને 59 સુધી પહોંચી ગઈ છે. હાલમાં આગની ઝપટમાં આવી ગયેલા વિસ્તારમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

આ વચ્ચે સરકાર દ્વારા મકાન ગુમાવનાર લોકો માટે 3000 ડોલરના વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમજ જેની સંપત્તિને ભારે નુકસાન થયું હોય તેને 1000 ડોલરના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!