નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પોતાનું જીવન અને કિસ્મત સુધારવા જરૂરી છે, મેનેજમેન્ટ

જીવનમાં નકામું કંઈ જ નથી હોતુ. આપણે જ આપણા કાર્યોથી વસ્તુઓને વ્યર્થ કે કામની બનાવીએ છીએ. હકીકત તો એ છે કે, જે પરમાત્માએ આ દુનિયા બનાવી તે વિશાળ હૃદયવાળો પરમાત્મા નકામી વસ્તુ શા માટે બનાવે? વાસ્તવિક દ્રષ્ટિએ પરમાત્મા પોતે જ એક મેનેજર(પ્રબંધક) છે અને તેમને આપણા જીવનમાં દરેક તબક્કે, દરેક વસ્તુની સાથે મેનેજમેન્ટની સંભાવના છોડી રાખી છે.આપણે મેનેજમેન્ટ કરવાનું ચૂકી જઈએ તો નુકસાન આપણું જ થશે. જો યોગ્ય મેનેજમેન્ટ હોય તો આપણે દરેક બાબતનો ઉપયોગ કરવા લાગીશું. જીવનનું સંયોજન જે પ્રબંધનથી કરવામાં આવે છે તેમાં દરેક વસ્તુ ઉપયોગી છે. કણ-કણ કામનો છે. ભગવાને આપણી જિંદગી ઉપહારના રૂપે આપી છે અને ભગવાને પોતે આપેલા ઉપહારમાં ખોટ કેવી રીતે રાખે? જેમને આ ઉપહાર સંભાળતા નથી આવડતું તેઓ જીવનને કચરો જ બનાવી દે છે.

આ વાત કલાકારોને જોઈને વાત સમજમાં આવે છે. જેને સ્વરોની સમજ ન હોય તેમની માટે સંગીત ઘોઘટ છે, પરંતુ એક સંગીતકાર તે જ સ્વરોથી અદભૂત કામ કરે છે. કારણ કે તે સ્વરોનું પ્રબંધન કરે છે. વિખેરાયેલા રંગો આપણી માટે કાદવથી વિશેષ કંઈ નથી. પરંતુ એક ચિત્રકાર તે જ રંગોથી અદભૂત ચિત્રકારી કરે છે. કોને ક્યારે જમાવવું તેનો ઉપયોગ કરવો આનુ નામ જ પ્રબંધન છે.

જે દિવસે આપણે આપણા તત્વોનું પ્રબંધન સમજી જઈએ છીએ તે દિવસે આપણો લોભ દાનમાં બદલાઈ જાય છે. ક્રોધ દયામાં પરિવર્તન થઈ જાય છે. વાસના શુદ્ધ થવા લાગે છે. દુશ્મન અને દોસ્ત વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જાય છે. જો જીવનનું મેનેજમેન્ટ યોગ્ય છે તો પ્રકૃત્તિમાં જ પરમાત્માને પામી શકાય છે. એટલે જિંદગીમાંથી કોઈપણ વસ્તુ ફેંકો નહીં. તેનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરો એટલે પરમાત્માના દર્શન થવા લાગશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!