નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહત્વાકાંક્ષાઓ પૂરી કરો, પણ આવી રીતે....

મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક સ્ટેજ પર જઈ, દરેક પ્રકારના ફંડા અપનાવી લક્ષ્ય પ્રાપ્ત કરવો તે આજના યુગમાં બોધ બની ગયો છે. મહત્વાકાંક્ષી પોતાના માર્ગમાં સંવેદના, પોતાનાપણું અને સંબંધોને અડચણ અને બોઝ માને છે. બસ, મારું કામ થઈ જાય. પછી બીજાને ભલે સીડી બનાવવા પડે. મારું વિચારેલું, મારું કરવામાં આવેલ કામ પૂરું થવું જોઈએ. નવા યુગના આ વિચારોના તડકામાં સૂકાઈ રહેલી પોતાનાપણાની ચાદરનો આજે રંગ ઉડી ગયો છે.

મહત્વાકાંક્ષાની યાત્રામાં ત્રણ વાતો પોતાની અંદર ચોક્કસપણે યાદ રાખવી જોઈએ. પહેલી વાત પોતાનાપણુ, જેનાથી આપણે એક-બીજાને સારી રીતે જાણી શકીએ અને પોતાની અચ્છાઈઓનો લાભ ઊઠાવી શકીએ છીએ.

બીજીવાત પરિપક્વતા, અર્થાત મેચ્યોરીટીથી કરવામાં આવેલ મહત્વાકાંક્ષાની યાત્રામાં આપણે બીજાની સંવેદનાને સમજી શકીએ છીએ અને પોતાના હિત, બીજાના હિત વચ્ચે સંતુલન બનાવી શકી છીએ.

ત્રીજીવાત નવાપણું. અર્થાત નવી પદ્ધતિઓ નવા જમાના સાથે ચાલો. પરિવર્તનને કેચ કરો અને પોતાની મહત્વાકાંક્ષામાં શોષણ, ષડયંત્ર. નીંદા, સ્વાર્થથી બચો. મહત્વાકાંક્ષાની રેસમાં જીતતા લોકો અંતે પોતે એકલા પડી જાય છે.

બીજાની સંવેદના, ભાવના સાથે જોડાવા માટે હિન્દુઓને શ્રાદ્ધનો પ્રયોગ ખૂબ જ સારી રીતે કર્યો છે. આ પોતાના સ્વજનની સ્મૃતિઓનું ક્રિયાત્મક રૂપ છે. વિજ્ઞાન આની સાથે અસહમત હોય, પણ ભાવનાઓથી મોકલેલ સંદેશ દિલમાં કેવી રીતે મળી જાય છે તેની ઉપર વિજ્ઞાન પણ ચૂપ થઈ જાય છે. ઓશોએ એક જગ્યાએ કહ્યું છે કે, ધર્મ પ્રેમનું રાજ્ય છે, તર્ક અને બુદ્ધિનું નહીં. પછી પીપળાને પૂજો, કબર ઉપર ફૂલ ચઢાવો, ક્રોસની સામે આંખો બંધ કરો આ બધુ જ વિજ્ઞાન તમાશો કહે છે. પણ પ્રેમપૂજા આવા પ્રતીકોના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચાડી દેશે, શ્રાદ્ધપક્ષનો અર્થ જ પોતાની પ્રત્યે આભાર, તેમને યાદ કરવું અને તેમની સ્મૃતિઓની સાથે જ્યારે આપણે આપણી મહત્વાકાંક્ષાઓની યાત્રાએ નિકળીએ તો લક્ષ્ય સુધી પહોંચીને આભારનો તે ભાવ અશાંતિને દૂર કરશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!