નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જમીન પર બેસીની જમવાની પરંપરા કેમ શરૂ થઈ?

ભારતમાં પ્રાચીન કાળથી જ જમીન પર બેસીને જમવાની પરંપરા હતી. પરંતુ આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના વધતા જતા આક્રમણથી આજે ડાયનિંગ ટેબલ ઉપર જમવાની સંસ્કૃતિ આપણે ત્યાં ટ્રેન્ડમાં વણાઈ ગઈ છે. આપણા પૂર્વજો જે પરંપરા બનાવી હતી તેની પાછળ કેટલીક ઊંડી વિચારસરણી અને કારણો પણ હતા.

એટલે જમીન ઉપર સુખાસનમાં બેસીને જમવાની પરંપરા બનાવવામાં આવી. જમીન ઉપર સુખાસન અવસ્થામાં બેસીને ખાવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ પ્રાપ્ત કરી શરીરને ઊર્જાવાન અને સ્ફૂર્તિવાન બનાવી શકાય છે.

જમીન ઉપર બેસી જમતી વખતે આપણે એક ખાસ યોગાસનની અવસ્થામાં બેસીએ છીએ. જેને સુખાસન કહેવામાં આવે છે. સુખાસન પધ્માસનનું જ એક રૂપ છે. સુખાસનથી શરીરને લગતા એ બધા જ લાભ પ્રાપ્ત કરી શકાય છે જે પધ્માસનથી મેળવી શકાય છે.

-નીચે બેસીને આપણે સારી રીતે જમવાનું જમી શકીએ છીએ.

-આ આસનથી મનની એકાગ્રતા વધે છે.

-આ પ્રકારે જમીન પર બેસીને જમવાથી ઓબેસિટી, અપચો, એસીડીટી વગેરે જેવા પેટને લગતા રોગોમાં રાહત મળે છે.

-સુખાસનથી આખા શરીરમાં રક્તસંચાર સમાન રીતે શરૂ થાય છે. જેનાથી શરીર વધુ ઊર્જાવાન બને છે.

-આ આસનથી માનસિક તણાવ ઓછો થાય છે અને મનમાં હકારાત્મક વિચારોનો પ્રભાવ વધે છે.

-તેનાથી આપણી છાતી અને પગ મજૂબત થાય છે.

-સુખાસન વીર્ય રક્ષામાં પણ મદદ કરે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!