નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક પામેલા જાડી, 2000 બિલાડી પાળી...

હોલીવૂડની પામેલા પાસે 2000 સિરામિક બિલાડીઓનો અનોખો સંગ્રહ

1940માં તેની માએ પ્રથમ સિરામિકની બિલાડી ભેટમાં આપી હતી


બ્રિટનના બર્મિંગહામ શહેરના દક્ષિણમાં એક નાનકડું ગામ છે, હોલીવૂડ. અહીંયા રહેનારી પામેલા કોલને બિલાડીઓ સાથે ખૂબ લગાવ છે. તેના આ અનોખા પ્રેમની દિવાનગીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ઘરમાં 2000 કરતા વધારે ચિનાઈ માટીની બિલાડીઓ સજાવીને રાખી છે.

વૃદ્ધ પામેલાને આ શોખ બાળપણમાં જ લાગ્યો હતો. 1940ના દાયકાના અંતની આ વાત છે, તેની માએ તેને ચિનાઈ માટીની એક બિલાડી ખરીદીને આપી હતી. આ પછી તે દરેક દુકાનમાં આ પ્રકારની બિલાડી જ શોધતી. પામેલાના આ સંગ્રહમાં કેટલીક લાખોની કિંમતની દુર્લભ બિલાડીઓ પણ સામેલ છે. પામેલા જણાવે છે કે જો તે પોતાના આ કલેક્શનને વેચવી જાય તો તેને 80 હજાર ડોલર કરતા પણ વધારે કિંમત મળે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!