નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ દેશમાંથી સોનું લાવવું ભારતને વધુ પડશે સસ્તું

 
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાના લીધે થાઇલેન્ડથી ભારતમાં એક્સપોર્ટ થનાર જ્વેલરી પર ફક્ત એક ટકા જ કસ્ટમ ડ્યૂટી લાગે છે
સોના પર ડ્યૂટી વધવાથી થાઇલેન્ડને જલસા પડી ગયા છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાના લીધે ત્યાંથી ભારતમાં એક્સપોર્ટ થનાર જ્વેલરી પર ફક્ત એક ટકા જ કસ્ટમ ડ્યૂટી લાગે છે. લોકલ જ્વેલર્સને લાગે છે કે આથી થાઇ ગોલ્ડ ભારતમાં સસ્તું થવું વ્યાજબી છે. એવામાં સરકારને લોકલ ઇન્ડસ્ટ્રીઝને બચાવા માટે આ અંગે કંઇક કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટમાં ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યૂટી 4 ટકા કરી દેવામાં આવી છે. તેમાં એજ્યુકેશન સેસ જોડાવાથી તે 4.12 ટકા સુધી જાય છે. જો આ ફર્ક બની રહેશે તો થાઇલેન્ડથી સોનું ઇમ્પોર્ટ વધુ ઝડપથી થવા લાગશે.

થાઇલેન્ડથી ભારત આવનાર જ્વલેરીમાં ડાયમંડ અને ગોલ્ડ પોપ્યુલર છે. જો કે તેની ડિઝાઇના ભારતમાં એટલી પસંદ ન પણ થાય, પરંતુ ત્યાંના સોનાને ભારતીય ડિઝાઇનમાં ઢાળી શકાય છે. આને ભારતીય જ્વેલર્સોની ચિંતા વધારી દીધી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!