નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બ્રિટનમાં સ્ટડી બાદ નોકરીનો આ દરવાજો કાયમ માટે બંધ

-ટાયર-વન (પોસ્ટ સ્ટડી વર્ક) વિઝા હેઠળ ભારત તથા અન્ય નોન-યુરોપિયન દેશોના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો કોર્સ પૂરો થયા બાદ બે વર્ષ માટે નોકરી કરી શકતા હતા
-વિઝાની આ કેટેગરી ભારતીય વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય હતી
-બ્રિટનના અર્થતંત્રમાં વિદેશી વિદ્યાર્થીઓ 14 અબજ પાઉન્ડનું યોગદાન આપે છે


લંડનઃ બ્રિટનમાં સ્ટડી પૂરો થઈ ગયા બાદ બે વર્ષ માટે નોકરી હવે નહીં થઈ શકે. બ્રિટનની કેમરન સરકારનો નવો નિયમ આવતીકાલે શુક્રવારથી લાગુ થઈ રહ્યો છે. આ નિયમ લાગુ થતા ભારતીય વિદ્યાર્થીઓને અસર પહોંચશે.

બ્રિટનના ટાયર-વન (પોસ્ટ સ્ટડી વર્ક) વિઝા હેઠળ ભારત તથા અન્ય નોન-યુરોપિયન દેશોના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો કોર્સ પૂરો થયા બાદ બે વર્ષ માટે નોકરી કરી શકતા હતા. જો કે બ્રિટનમાં નોકરીનો આ રસ્તો શુક્રવારથી બંધ થઈ ગયો છે. વિઝાની આ કેટેગરી ભારતીય વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય હતી કારણ કે તેની મદદતી અભ્યાસ પાછળનો ખર્ચ કાઢી શકાતો હતો. જો કે આ નિયમ લાગુ થવાનો હોવાથી અગાઉથી જ બ્રિટનની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના અર્થતંત્રમાં વિદેશી વિદ્યાર્થીઓ 14 અબજ પાઉન્ડનું યોગદાન આપે છે. બ્રિટનની અનેક યુનિવર્સિટીઓ અને બ્રિટિશ કાઉન્સિલે કેમરન સરકારના આ નિયમનો આકરો વિરોધ કર્યો હતો. અનેક લોકોએ એવી દલીલો કરી હતી કે આ નિયમ લાગુ થતા બ્રિટન અભ્યાસ માટે શ્રેષ્ઠ દેશ હોવાની ઈમેજને નુકસાન પહોંચશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!