નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

વેજીટેબલ પરોઠા





વેજીટેબલ પરોઠા

સામગ્રી :

પાલકની ભાજી – ૫૦ ગ્રામ,
વટાણા – ૫૦ ગ્રામ,
લીલાં ચણા – ૫૦ ગ્રામ,
આદું – નાનો ટુકડો,
લીલા મરચાં – ૨ નંગ,
અજમો – અડધી ચમચી,
તલ – ૧ ચમચી,
ચોખાનો લોટ – ૨ ચમચા,
ચણાનો લોટ – ૧ ચમચો,
ઘઉંનો લોટ – ૨૦૦ ગ્રામ,
મીઠું – સ્વાદ મુજબ,
તેલ – જરૂર પ્રમાણે

રીત :

-પાલક, વટાણા, લીલા ચણા, આદું અને લીલાં મરચાંને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો.
-આ પેસ્ટમાં અજમો, તલ અને મીઠું ભેળવો.
-હવે બધા લોટને મિકસ કરી તેમાં તેલનું મોણ નાખી પેસ્ટને લોટમાં સારી રીતે મિકસ કરી કણક બાંધો.
-પ્રમાણસર લૂઆ લઇ પરોઠાં વણી લોઢી પર બંને બાજુએ શેકી લો.

Comments

Popular posts from this blog

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

લાખોમાં વેચાઈ છે આ તસવીરો, એવું તો શું ખાસ છે?