નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એકવાર અવશ્ય મુલાકાત લો ગુજરાતના આ અભયારણ્યોની

 
૨૨ અભયારણ્યો અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનોથી સમૃદ્ધ ગુજરાતના કેટલાક અભયારણ્યોની માહિતી.

ગીર સિંહ અભયારણ્ય

ક્યાં આવેલું છે? : જુનાગઢ જિલ્લામાં જુનાગઢથી ૬૪ કિ.મી. અને વેરાવળથી ૩૨કિ.મી. દૂર.
વિસ્તાર: ૧૪૧૨ ચોરસ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: એશિયન સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.

સુવિધા: અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઇડ તથા પુસ્તકાલયની સુવિધા પણ છે. વન્યપ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઇડ શો યોજવામાં આવે છે.

શ્રેષ્ઠ સમય: જાન્યુઆરીથી મે મહિનો.

રેલવે મથક: વેરાવળ.

બરડા સિંહ અભયારણ્ય

ક્યાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં. પોરબંદરથી લગભગ ૧૪ કિ.મી.ના અંતરે

વિસ્તાર: ૧૯૨ ચોરસ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: જંગલી ભૂંડ, દીપડો, ચિત્તળ, સાંભર, નીલગાય, વાંદરા.

શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.

રેલવે મથક: પોરબંદર-રાણાવાવ.

પીરોટન સામુદ્રિક ઉદ્યાન/ મરીન નેશનલ પાર્ક

ક્યાં આવેલું છે? જામનગર જિલ્લાના કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં.

વિસ્તાર: ૧૬૩ ચોરસ કિ.મી.માં રાષ્ટ્રીય ઉદ્યાન, ૪૫૮ ચોરસ કિ.મી.માં વિસ્તરેલું અભયારણ્ય.

વન્ય પ્રાણીસૃષ્ટિ: વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા નામના જળચર જીવ વસે છે. વાદળી(સ્પોન્જ), ઓકટોપસ, જેલી ફશિ, સ્ટાર ફશિ, મલારિયા(ડોલ્ફિન) માછલીનું કુદરતી આશ્રયસ્થાન, વિવિધ દરિયાઇ પક્ષીઓ જોવા મળે છે.

સુવિધા: વન વિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે બોટની સુવિધા છે.

શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી મે મહિનો.

રેલવે મથક: જામનગર.

વેળાવદર કાળિયાર અભયારણ્ય

ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં ભાવનગરથી ૬૫ કિ.મી.ના અંતરે વલભીપુરના રસ્તે જતાં અમદાવાદ-ભાવનગરની વચ્ચે.

વિસ્તાર: ૧૮ ચોરસ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: કાળિયાર, વરુ, ખડમોર, વગેરે.

સુવિધા: ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓને રહેવા માટે વેળાવદર ખાતે વનવિભાગની હટ્સની સુવિધા છે. ભોજન પણ ઉપલબ્ધ છે.

શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી મે મહિનો.

રેલવે મથક: ભાવનગર.

ઘુડખર અભયારણ્ય

ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગરથી હળવદ જતાં કચ્છના નાના રણમાં.

વિસ્તાર: ૪૯૫૩ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: જંગલી ગધેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.

સુવિધા: ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહની વ્યવસ્થા છે.

શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરીથી મે મહિનો.

રેલવે મથક: હળવદ.

રતનમહાલ રિછ અભયારણ્ય

ક્યાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં બારિયાથી ૪૫ કિ.મી.ના અંતરે.

વન્ય પ્રાણીસૃષ્ટિ: રિછ, દીપડો, ચિંકારા, નીલ ગાય, ડુક્કર.

સુવિધા: પીપરગોટા, સાગટાળા અને બારિયામાં વન વિભાગનું વિશ્રામગૃહ.

શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી માર્ચ.

રેલવે મથક: બારિયા અને પીપલોદ.

જેસોર રિછ અભયારણ્ય

ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી ૪૫ કિ.મી.ના અંતરે.

વિસ્તાર: ૧૮૧ ચોરસ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: રિછ, દીપડા, સાંભર, નીલગાય, જંગલી ભૂંડ, શાહુડી અને પક્ષીઓ.

સુવિધા: અમીરગઢમાં પીડબ્લ્યૂડીનું રેસ્ટહાઉસ. ૧૦ કિ.મી.ના અંતરે તથા દાંતીવાડા સિંચાઇ નિરીક્ષણ બંગલો અને બાલારામ હોલિ ડે હોમ ૨૦ કિ.મી.ના અંતરે આવેલાં છે.

શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.

રેલવે મથક: પાલનપુર.

ડુમખલ રિછ અભયારણ્ય

ક્યાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં ડેડિયાપાડાથી ૩૦ કિ.મી.

વિસ્તાર: ૧૫૧ ચોરસ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: રિછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલાં તથા વિવિધ પક્ષીઓ.

સુવિધા: ડેડિયાપાડાથી ૩૦ કિ.મી.ના અંતરે જાહેર બાંધકામ વિભાગ અને પંચાયતના વિશ્રામગૃહની વ્યવસ્થા છે.

શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.

રેલવે મથક: અંકલેશ્વર.

વાંસદા નેશનલ પાર્ક

ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લામાં બીલીમોરાથી ૪૦ કિ.મી.ના અંતરે.વિસ્તાર: ૭ ચોરસ કિ.મી.

વન્ય પ્રાણીસૃષ્ટિ: દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.

સુવિધા: જાહેર બાંધકામ વિભાગ અને પંચાયતના રેસ્ટ હાઉસ પણ ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!