નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

SBIએ ગ્રાહકોને છેતરપિંડીથી બચવા આપી ખાસ સુવિધા

- એસબીઆઇ એ ઇલેક્ટ્રોનિક ડેબિટ કાર્ડ સ્ટેટ બેન્ક વર્ચુઅલ રજૂ કરવાની જાહેરાત કરી
- તેનો ઉપયોગ ઇન્ટરનેટથી લેવડદેવડ માટે કરાશે
- આ કાર્ડને ગ્રાહક સ્ટેટ બેન્ક ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી બનાવી શકે છે
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પોતાના ગ્રાહકોને એક ખાસ સુવિધા આપવા જઇ રહ્યું છે. એસબીઆઇ એ ઇલેક્ટ્રોનિક ડેબિટ કાર્ડ સ્ટેટ બેન્ક વર્ચુઅલ રજૂ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ ઇન્ટરનેટથી લેવડદેવડ માટે કરાશે. બેન્કે ઓનલાઇન બેકિંગ લેવડદેવડમાં વધતી છેતરપિંડીથી પોતાના ગ્રાહકોને રાહત આપવા માટે આમ કર્યું છે.

બેન્કે કહ્યું કે આ કાર્ડને ગ્રાહક સ્ટેટ બેન્ક ઇન્ટરનેટ બેકિંગના માધ્યમથી બનાવી શકે છે. એક સમયમાં કેટલાંય કાર્ડ બનાવી શકાય છે પરંતુ વેલેડિટી માત્ર 48 કલાકની હશે. ત્યારબાદ આ કાર્ડ સમાપ્ત થઇ જશે અને ફરીથી નવું કાર્ડ બનાવાશે.

બેન્કના મતે વર્ચુઅલ ડેબિટ કાર્ડથી લેવડ-દેવડ કરવા પર ગ્રાહકોની મૂળ બેકિંગ માહિતી અન્ય પક્ષને નહીં મળે. આ ઇન્ટરનેટ ઉપયોગ કરનાર ગ્રાહકો માટે સુરક્ષિત ઓનલાઇન ચૂકવણી ઉપલબ્ધ કરાવશે.

દિલચસ્પ છે કે વર્ચુઅલ કાર્ડ બનાવાનો કોઇ ખર્ચ થશે નહીં. પ્રત્યેક ઓનલાઇન લેવડદેવડ માટે વર્ચુઅલ કાર્ડ બનાવાની જરૂરિયાત રહેશે. જો કે આ માધ્યમથી મૂળ ખાતાની બાકી રકમનું હસ્તાંતરણ કરાશે નહીં. બાકી રકમ હસ્તાંતરણ માટે વાસ્તવિક ઓનલાઇન લેવડદેવડ કરવી પડશે. બેન્કે કહ્યું છે કે આમ થવા પર ગ્રાહકોને એક દિવસ પણ વ્યાજનું નુક્સાન ઉઠાવું પડશે નહીં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!