નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ક્યારેક આ રીતે કરી જુઓ બ્રેક જર્ની-સર્ક્યુંલર જર્ની

 
 
ભારતીય રેલવેની આ સુવિધા અંતગર્ત રેલવે ઉતારુ પોતાના પ્રવાસમાં વચ્ચે જરૂર પડે તો એકાદ-બે દિવસ રોકાઇને ફરીથી પ્રવાસ કરી શકે છે. આ સુવિધાનો ફાયદો એ છે કે ઉતારુઓએ વારંવાર ટિકિટ લેવાની કે રિઝર્વેશન કરાવવાની જરૂર નથી પડતી.

સામાન્ય ટિકિટ: ૫૦૦ કિ.મી.થી વધુ અંતરની જવા કે આવવાની (સિંગલ જર્ની) ટિકિટ હોય તો પ્રવાસ શરૂ કરવાનો હોય એ સ્ટેશનેથી ૫૦૦ કિ.મી.ની મુસાફરી પૂરી થયા પછી રસ્તામાં કોઇ પણ સ્ટેશને યાત્રાવિરામ લઇ શકે છે. ૧૦૦૦ કિ.મી. સુધીના અંતર માટે અપાયેલી ટિકિટ પર એક યાત્રાવિરામ લઇ શકાય છે. આનાથી વધુ અંતરના પ્રવાસમાં બે યાત્રાવિરામ લઇ શકાય છે. યાત્રાવિરામની મુદત આગમન અને પ્રસ્થાનનો દિવસ છોડીને વધુમાં વધુ બે દિવસ છે. વિરામ માટે પ્રત્યેક ટિકિટને સ્વતંત્ર યાત્રાની ટિકિટ રૂપે ગણવામાં આવે છે.

રિઝર્વ ટિકિટ પર: રિઝર્વ ટિકિટ પર જે સ્ટેશન માટે રિઝર્વેશન કરાવ્યું હોય એના પહેલાના સ્ટેશને યાત્રાવિરામની મંજૂરી નથી મળતી. આ સંજોગોમાં વચ્ચે મુસાફરી સ્થગિત કરીને નિયમાનુસાર ટિકિટ પાછી આપીને રિફન્ડ લઇ શકાય છે. યાત્રાવિરામ કરતી વેળા અને ફરીથી મુસાફરી શરૂ કરતી વખતે પ્રત્યેક યાત્રાવિરામ માટે ઉતારુઓએ તેમની ટિકિટ કન્ફર્મ કરાવવાની રહે છે કારણ કે પ્રત્યેક યાત્રાવિરામ વેળા ટિકિટની વેલિડિટી માટે અલગ પ્રવાસ ગણવામાં આવે છે. ઉતારુ પ્રવાસ દરમિયાન આગળના કોઇ સ્ટેશને બીજી ગાડી પકડવા ઊતરે, તો આવા વિરામ (હોલ્ટ)ને યાત્રાવિરામ ગણવામાં નથી આવતો. શરત એટલી કે આ હોલ્ટ ૨૪ કલાકથી ઓછો હોય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!