નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિમાનમાં મુસાફરી કરનારા માટે આવ્યા અગત્યના સમાચાર

- ટિકિટ રિઝર્વેશન કે ફ્રી ટિકિટમાં ફેરફાર કરનાર પર 1લી એપ્રિલથી 200 થી લઇને 500 રૂપિયા વસૂલાશે
- છેલ્લાં બે મહિનામાં વિમાન ઇંધણની કિંમતોમાં દસ ટકાનો વધારો થઇ ચૂક્યો છે
- એવામાં તેઓને મજબૂર થઇને ફી વધારવી પડી રહી છે

સરકારી વિમાન સેવા એર ઇન્ડિયાને છોડીને તમામ સ્થાનિક વિમાન કંપનીઓએ આમ કર્યું છે. તેના લીધે ટિકિટ રિઝર્વેશન કે ફ્રી ટિકિટમાં ફેરફાર કરનાર પર 1લી એપ્રિલથી 200 થી લઇને 500 રૂપિયા વસૂલાશે.

વિમાન કંપનીઓનું કહેવું છે કે છેલ્લાં બે મહિનામાં વિમાન ઇંધણની કિંમતોમાં દસ ટકાનો વધારો થઇ ચૂક્યો છે. આગળ પણ તેને વધારવાની આશંકા છે. એવામાં તેઓને મજબૂર થઇને ફી વધારવી પડી રહી છે.

આ કંપનીઓનું કહેવું છે કે મોટાભાગે બિઝનેસને લગતા મુસાફરો આખરી સમયમાં ટિકિટ રદ કરાવતા હોય છે કે ફેરફાર કરાવે છે, જેના લીધે નિર્ધારિત ઉડાનમાં સીટો ખાલી જાય છે. તેનાથી કંપનીઓને નુક્સાની થાય છે. આ ચલણ પર પ્રતિબંધ લગાવા માટે જ આરક્ષણ કે ફ્રી ટિકિટ ફેરફાર ફી વધારી દેવામાં આવી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!