નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકની નસકોરી ફૂટે ત્યારે.....





ઉનાળામાં નસકોરી ફૂટવાથી નાના બાળકો તો ઠીક, મોટા પણ ક્યારેક ગભરાઇ જાય છે. આવા સમયે શાંતિથી યોગ્ય ઉપાય અજમાવવા જોઇએ.

ઘણા લોકોને ઉનાળાની તીવ્ર ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યા પરેશાન કરે છે. આવી ગરમીમાં બિચારા ફૂલ જેવા કોમળ બાળકોની સ્થિતિ તો કેવી થાય? ઘણા બાળકોને પણ ઉનાળામાં નસકોરી ફૂટતી હોય છે. આનું કારણ ઋતુના પ્રમાણમાં શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જવું તે છે. જ્યારે કેટલાક લોકો અથવા બાળકોને વધારે પડતાં ઉષ્ણ ગણાય એવા પદાર્થોનું સેવન કરવાથી પણ નસકોરી ફૂટે છે. ઉનાળામાં તો આ સમસ્યા વધારે ગંભીર બને છે. બાળકને જ્યારે નસકોરી ફૂટે ત્યારે તાત્કાલિક લોહી વહેતું કેવી રીતે બંધ કરી શકાય તે માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય અહીં જણાવ્યા છે.

- ડુંગળી કાપી તેને નાક પાસે રાખી બાળકને સુંઘવાનું કહો.
- બાળકનું માથું આગળની તરફ ઝુકાવી માથા પર પાણી રેડૉ.
- કાળી માટી પર પાણી રેડી તે સુંઘાડૉ.
- રૂના પૂમડાંને સફેદ સિરકાવાળું કરી તેના જે નસકોરાંમાંથી લોહી નીકળતું હોય તેમાં નાખો.
- નસકોરી ફૂટે ત્યારે સીધા બેસાડી નાકના બદલે મોં દ્વારા શ્વાસ લેવાનું કહો.
- નાક પર ઠંડા પાણીમાં પલાળેલા રૂનાં પૂમડાં મૂકો. રૂના નાનાં નાનાં પૂમડાં બનાવી પાણીમાં પલાળી ફ્રીજમાં રાખી મૂકો. આ પૂમડાં તરત જ કામ લાગશે.
- કોથમીરના રસના થોડાં ટીપાં નાકમાં નાખો.
- આ તમામ ઉપાયો ઉપરાંત કપાળ પર ઠંડા પાણીના પોતાં મૂકવાથી પણ નસકોરી ફૂટવામાં રાહત રહેશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!