નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધરતીની આ રહસ્યમય માયા કોઈ સમજી શક્યું નથી

  >સમતોલ વિસ્તારમાં માટીના ઢગ કેવી રીતે બન્યા તે શોધી શકાયું નથી

જમીન પર ગોળાકાર ગુંબજ જેવા સ્ટ્રક્ચરને મિમા માઉડ્સ કહેવામાં આવે છે. અમેરિકાના ઉત્તર પશ્ચિમ વિસ્તારો ઈડાહો, ઓરેગોન અને વોશિંગ્ટનમાં અનેક જગ્યાએ આ પ્રકારના માઉડ્સ કુદરતી રીતે બનેલા છે. તેનો વ્યાસ ત્રણથી લઈને 50 મીટર સુધી હોય છે.

તેની ઉંચાઈ 30 સેન્ટીમીટરથી લઈને બે મીટર સુધી હોય છે. અમેરિકાના આ વિસ્તારમાં સમતોલ જમીન પર આ માટીના ઢગ કેવી રીતે બન્યા, આ વાત આજ દિવસ સુધી કોઈ સમજાવી શક્યું નથી. તેને જોઈને એવું લાગે કે જાણે કોઈના ચહેરા પર ખીલ ઉપસી આવ્યું હોય.

વોશિંગ્ટનના થ્રસ્ટન કાઉન્ટીના મિમા પ્રાઈરે પરથી તેનું નામ મિમા માઉડ્સ પડ્યું છે. બધા વિસ્તારમાં આવેલા માટીના આવા ઢગ એક આકારના નથી. વોશિંગ્ટનમાં આવા માઉડ્સની ઉપર કાળી માટીની નીચે રેતાળ માટી છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટને આ અંગે સંશોધન પણ કર્યું છે. તેના જણાવ્યા પ્રમાણે આ અજબ-ગજબ વાત છે. ખાસ કરીને સુકાય ગયેલા વૃક્ષો અને પ્રાણીઓ જેવા ઓર્ગેનિક તત્વો માટીના ઉપરના ભાગમાં હોય છે. જ્યારે મિમા માઉડ્સમાં બે મીટર સુધી શુદ્ધ માટી હોય છે.

આ અંગે અનેક વૈજ્ઞાનિકો પોતાનો અલગ અલગ મત પ્રગટ કરી ચુક્યા છે. કોઈને આ ભૂકંપનું પરિણામ લાગ્યું તો અમુક લોકોએ બરફ યુગ બાદ ગ્લેશિયર્સ ઓગળવાને કારણે આવું થયાનું કહ્યું. આ અંગે અનેક થીયરીઓ રજૂ કરવામાં આવી હતી, છતાં પણ સૌ ટકા દાવા સાથે આ અંગેનું કારણ કોઈ રજૂ કરી શક્યા નથી.

એક રહસ્ય...

અમેરિકામાં અનેક જગ્યાએ જમીન પર કુદરતી રીતે માટી ઉપસી આવી છે. જેના કારણે માટીના નાના ઢગ બની ગયા છે. આ કેવી રીતે બન્યા હતાં તેનું રહસ્ય આજે પણ અકબંધ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!