નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ શિલાને આજ સુધી કોઈ ઊંચકી શક્યુ નથી

પૂર્વ ટેલીવિઝન ગ્લેડિએટર ડેરેક બોયરે એ કારનામુ કરી બતાવ્યું છે, જે આ સુધી દુનિયાની કોઈ વ્યક્તિ કરી શકી નથી. તાજેતરમાં જ લિસ્મોરમાં આયોજિત એક સમારોહમાં તેમણે 760 કિલોની એક શિલા ઊંચકી બતાવી છે. આ સાથે જ તેમણે દુનિયાની સૌથી ભારે શિલા ઊંચકવાનો વિશ્વ વિક્રમ સ્થાપિત કરી બતાવ્યો છે.
બોયરે દુનિયાની સૌથી ભારે 760 કિલોની શિલાને ઉપાડી


જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગિનિઝ બુકે તેમના આ રેર્કોર્ડને માન્યતા આપી છે કે નહીં. આ સાથે જ તેમના નામે એક વધુ રેકોર્ડ નોંધાઈ શકે છે. તેમના નામે ઓસ્ટ્રેલિયામાં સૌથી ભારે વસ્તુ ઉપાડવાનો પણ કીર્તિમાન સ્થાપિત થઈ શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!