નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બુલેટની ઝડપે દોડતી હતી આ ટ્રેન

બુલેટની ઝડપે ચાલતી ચીનની પ્રસિદ્ધ બુલેટ ટ્રેન વિશે તમે સાંભળ્યું હશે. પરંતુ તમને જાણીને નવાઈ લગાશે કે શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સંઘે આવી જ એક ટ્રેન બનાવી હતી. જે એ સમયની સૌથી ઝડપી ટ્રેન હતી.

સોવિયેત સંઘે વર્ષ 1970માં આવી ટ્રેન બનાવી લીધી હતી. સોવિયેત સંધ દ્વારા બનાવવામાં આવેલી આ ટ્રેન દુનિયાની સૌથી વધુ ઝડપે ચાલતી ટ્રેન હતી. આ ટ્રેન એ સમયે કલાકની 249 કિલોમીટરની ઝડપે દોડી શકતી હતી. જે ઝડપે આજે પણ અનેક ટ્રેનો દોડી શકતી નથી.

જેટ એન્જીન સાથેની એસવીએલ નામની આ ટ્રેન આજે પણ રશિયાના કલિનિંસ્કી કોચ ફેક્ટરીમાં રાખવામાં આવી છે.
રશિયાની આ ખાસ ટ્રેનની એક તસવીરી ઝલક...
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!