નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભૂજના બાળકોને પણ મઝા કરાવે છે એક શિલા

એરપોર્ટ ઉપર આવતા વિમાનોને જોવા માટે સામાન્ય રીતે ભૂલકાંઓ જ્યારે જીદ કરે ત્યારે પ્રવેશ ટિકિટ લઇને તેમને પ્લેન બતાવવામાં આવતું હોય છે. પરંતુ ભુજમાં જો લેન્ડ કરતા કે, ટેક ઓફ કરતા વિમાનને આસાનીથી જોવું હોય તો મફતમાં એક ‘શીલા’ની મદદથી જોઇ શકાય છે. તમે કોઇ ગેરસમજ કરો તે પહેલાં અહીં ખુલાસો કરી દઇએ કે, આ ‘શીલા’ એટલે પેલી કેટરિના કૈફ નહીં,પરંતુ ભુજ એરપોર્ટને અડીને આવેલી ખાનગી જમીનમાં વર્ષોથી પડેલો પથ્થર છે.

ભુજ એરપોર્ટ ઓથોરિટીને સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી લાગતા આ પથ્થરને હટાવવા માટે તેમણે જમીન સુદ્ધાં ખરીદવાની તૈયારી બતાવી છે. આ માટે એરપોર્ટે કચ્છના વહીવટી તંત્રને પત્ર પણ લખ્યો છે. જોકે, આ લેટર લખાયો ત્યારે તેમને ખબર નહોતી કે, જમીન સરકારી છે કે, ખાનગી. એરપોર્ટના સત્તાવાળા માત્ર સુરક્ષાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ ભવિષ્યમાં એરોપ્લેનને ચડતા-ઉતરતા કોઇક વાર તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને પણ આ મહાકાય પથ્થરને દૂર કરવા માંગી રહ્યા છે.

ભુજ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીનો વારંવાર સંપર્ક કરવા છતાં આ મુદ્દે તેમની પ્રક્રિયા જાણી શકાઇ નહોતી, જ્યારે કચ્છ કલેક્ટર એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, જમીન ખાનગી માલિકીની હોવાથી એરપોર્ટ ઓથોરિટી ધારે તો તેને ખરીદી શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!