નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તૈલી ત્વચા અને ખીલની સમસ્યા

પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. લગભગ બે વર્ષથી મારા ચહેરા પર ડાઘ છે. આ ડાઘ દૂર થઇ શકે ખરા?

ઉત્તર : તમે એ નથી જણાવ્યું કે તમારા ચહેરા પર શેના ડાઘ છે. કયા કારણસર એ ડાઘ થયા છે તે જાણ્યા વિના કહેવું મુશ્કેલ છે કે ડાઘ દૂર થઇ શકે કે નહીં. જોકે તમે કાચા દૂધથી ચહેરો નિયમિત રીતે સાફ કરતાં રહો તો થોડો ફરક પડશે.

પ્રશ્ન : હું ઘઉંવણીઁ છું. મારી ત્વચા તૈલી છે અને ચહેરા પર ખીલ થાય છે. તેના ખાડા પણ છે. એવો ઉપાય બતાવશો કે મારો ચહેરો સાફ અને ઓછો તૈલી રહે?

ઉત્તર : ચહેરા પર જ્યાં ખીલના ડાઘ હોય ત્યાં બટાકાંને છીણીને તે લગાવો. ચહેરા પર ખાડા પડ્યા હોય ત્યાં ટામેટાનો રસ લગાવો. આનાથી તમારો ચહેરો થોડો સાફ અને રંગ પણ સારો થશે, તેમ જ ખીલ પણ ઓછા થશે. દિવસ દરમિયાન ચહેરો ધોતાં રહો.

પ્રશ્ન : મારી ઉંમર ચાલીસ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે મારા વાળ એકદમ શુષ્ક અને વાંકડિયા છે. વળી, છેલ્લા એક વર્ષથી વાળ ખૂબ ખરે છે. માથામાં ખોડો થવાની સાથે વાળ સફેદ પણ થવા લાગ્યા છે. મારે શું કરવું જોઇએ?

ઉત્તર : વાળની શુષ્કતા દૂર કરવા માટે તમે માથામાં દહીં લગાવો. વાળ જો વધારે પ્રમાણમાં ખરતાં હોય તો ઓલિવ ઓઇલથી નિયમિતરૂપે મસાજ કરો. સફેદ વાળ તો તમારી ઉંમરને કારણે હવે થવાનાં, પણ તમે જો કાળા વાળ રાખવા ઇચ્છતાં હો, તો હેર કલર કે હેરડાઇનો ઉપયોગ કરી શકો છો. જોકે તે સારી કંપનીના વાપરવા. જો હેર કલર કે હેરડાઇ ન કરવા હોય તો મેંદી પણ કરી શકો.

પ્રશ્ન : મારી ઉંમર ત્રેવીસ વર્ષ છે. મેં સાંભળ્યું છે કે અરોમાથેરપીથી સુંદરતા વધે છે. મને અરોમાથેરપી વિશે જણાવશો અને હું આ થેરપી કરાવું તો મને લાભ થાય ખરો?

ઉત્તર : તમારે કયા કારણસર અરોમાથેરપી લેવી છે તે તમે જણાવ્યું નથી. અરોમાથેરપીને તમે ગુજરાતીમાં ગંધ ચિકિત્સા કહી શકો. આમાં સુગંધીદાર તેલ અને એસેન્સથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. દરેક વ્યક્તિને અલગ અલગ જરૂરિયાત પ્રમાણે એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરીને સૌંદર્યોપચાર કરવામાં આવે છે જેમાં ફેશિયલ મસાજથી લઇને સ્કાલ્પ મસાજ સુધીની દરેક બ્યૂટિ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!