નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હનીમૂનમાં પણ સાસુમા સાથે...ઓહ નો!


હનીમૂન પર સાસુને સાથે લઈ જતા એક પત્નીએ કરી છૂટાછેડાની માંગ

રોમની 36 વર્ષીય મેરિઆનાને એવું લાગતું હતું કે લગ્ન પછી તે માત્ર પોતાના પતિની સાથે જ હનીમૂન પર જશે, પરંતુ તેના પતિ સ્ટીફેનોનું આયોજન તો કંઈક અલગ જ હતું. હનીમૂન મનાવવા માટે સ્ટીફેનોએ પેરિસની જે હોટલમાં પોતાના માટે રૂમ બુક કરાવ્યો હતો, ત્યાં જ તેણે પોતાની મા માટે પણ એક રૂમ બુક કરાવ્યો હતો. ડેઇલી મિરર પ્રમાણે પેરિસ જવા માટે મેરિઆના જ્યારે એરપોર્ટ પહોંચી ત્યારે તે પોતાની સાસુમાને ત્યાં જોઈને ચોંકી ગઈ હતી.

તેના વકીલે જણાવ્યા પ્રમાણે મેરિઆનાના પતિનો પોતાની મા સાથેનો ભાવનાત્મક લગાવ કંઇક વધારે પડતો જ છે. આથી તેને છૂટાછેડા જોઇએ છે. હનીમૂન પર સાસુને સાથે લઈ જવાની વાત તેના ગળે નથી ઉતરતી. આ ત્રણેય જણા સાથે જ પેરિસ ગયા હતા.

અહીંયા તેણે પોતાનો મોટા ભાગનો સમય પતિ સાથે ગાળવાના બદલે સાસુમા સાથે જ વિતાવવો પડ્યો હતો. આ પછી મેરિઆનાએ પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!