નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તિરંગા યાત્રાની કહાણી, તસવીરોની જુબાની



12 જાન્યુઆરી ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં કોલકત્તાથી રાષ્ટ્રીય એકતા યાત્રા (તિરંગા યાત્રા)ની શરૂઆત કરી છે. આ યાત્રા હાલ પંજાબના માધોપુર પહોંચી ચુકી છે. માધોપુરમાં 50 હજાર કાર્યકર્તાઓને ભાજપના વરિષ્ઠ નેતાઓ સંબોધન કરવાના છે. તો સામે જમ્મુ-કાશ્મીરની પંજાબ અને હિમાચલ પ્રદેશ સાથેની સરહદો સીલ કરી દેવામાં આવી છે. તેના લખનપુરથી તિરંગા યાત્રાની જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશે તેવી સંભાવના છે. જો કે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એકતા યાત્રા રાજ્યમાં ન પ્રવેશે તે માટે ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. તો બીજી તરફ જમ્મુમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ મોટા પ્રમાણમાં દેખાવો કર્યા છે. પોલીસે તેમના પર હળવો લાઠીચાર્જ કરીને 550 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 

ભાજપના કાર્યકરોની તિરંગા યાત્રાની કહાણી જોવો તસવીરોની જુબાની...



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!