નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

જમીનમાંથી નીકળતા ગેસથી ઓલપાડમાં ભય વ્યાપ્યો

 
 
સુરતના ઓલપાડમાં જમીનમાંથી ગેસ નીકળવાને પગલે રહિશોમાં ભય વ્યાપ્યો છે. બનાવની જાણ થતાં ઓએનજીસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે અગાઉ ઓલપાડમાં જમીનમાંથી પાણીના ફૂવારા છૂટવાને પગલે ગભરાટ વ્યાપ્યો હતો.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર સુરતના ઓલપાડમાં અનેક વિસ્તારોમાં જમીનમાંથી ગેસ નીકળી રહ્યો છે. દિવાસળી ચાંપતા આ ગેસ ભડકે પણ બળી રહ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલમાં તો આ અંગે ઓનએનજીસી દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Comments

Popular posts from this blog

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?