નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લોહી વગર અને રોકાયેલા ધબકારા સાથે જન્મ્યો હતો એ...

 
જન્મના સમયે તેના શરીરમાં જરાય લોહી નહોતું તેના ધબકારા પણ માંડ માંડ ચાલતા હતા
સમય કરતા પહેલા જન્મેલા બાળકના જીવનમાં એ પળ ઘણી ચમત્કારિક સાબિત થઈ જ્યારે જિંદગીની જંગ સામે ઝઝૂમ્યા પછી 15 મિનિટ બાદ અચાનક તે શ્વાસ લેવા લાગ્યો. આ બાળકનો જન્મ સમય કરતા 10 અઠવાડિયા પહેલા થઈ ગયો હતો. જન્મના સમયે તેના શરીરમાં જરાય લોહી નહોતું, તેના ધબકારા પણ માંડ માંડ ચાલતા હતા.

મિલ્ટન કીનેસ હોસ્પિટલમાં પેદા થયેલા આ બાળકની 30 વર્ષીય મા જૂલી ગિલાર્ડ અને પિતા રોઝે જણાવ્યું હતું કે જનમ્યા પછી આ બાળકને બચાવવાના મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આશરે 10 મિનિટ સુધી ડોક્ટરો બાળકની છાતીમાં પંપિંગ કરતા રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઈન્જેક્શન મારફતે તેને એડ્રેનેલિનના ડોઝ પણ આપ્યા હતા.

ડોક્ટરોએ બાળકના મા-બાપને જણાવ્યુ હતું કે જો આગલા બે દિવસ સુધી બાળકના ધબકારા નહીં ચાલે તો તેનું બ્રેઇન ડેમેજ થવાનું જોખમ છે અને જો આવું થશે તો તેને ફરીથી બચાવી શકાશે નહીં, તેમ છતાં ફરીથી એક ચમત્કાર થયો અને આશરે 12 મિનિટ પછી બાળકે ફરીથી શ્વાસ લીધા.

હવે લગભગ 5 અઠવાડિયા પછી હોસ્પિટલની નિયોનેટલ યુનિટની દેખભાળ પછી બાળકની તબિયત એકદમ સ્વસ્થ છે. આવતા સપ્તાહે તેના મા-બાપ તેને ઘરે પણ લઈ જઈ શકશે. ડોક્ટરો આ બાળકા જીવનને ખરેખર એક ચમત્કાર જ ગણાવે છે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં