નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નોકરી માંગવા ગયેલી મહિલાને મળી લાશો

 
ઈન્ટરવ્યુ માટે પહોંચી ત્યાં જ એ મહિલાના હોશ ઉડી ગયા મહિલાએ જણાવ્યું છે કે મૃતકો સાથે તેને કોઇ જ પરિચય નહોતો
નોકરી મળવાની આશા લઈને એરિઝોનાની એક મહિલા જ્યારે ઈન્ટરવ્યુ માટે ગઈ તો તે જગ્યાએ પહોંચતા જ મહિલાના હોશ ઉડી ગયા. વાસ્તવમાં ત્યાં જઈને તેણે જોયું તો તેને ત્યાંની બે કર્મચારીઓની લાશ પડેલી જોવા મળી. આ લાશ જોઇને તરત જ તેણે ઈમરજન્સી નંબર 911 પર કોલ કર્યો.

ઘટના સ્થળે પહોંચેલી એરિઝોના પોલીસે આ ડબલ હત્યાકાંડની તપાસ શરૂ કરી દીધી છે. આ લાશમાં એક મહિલાની અને એક પુરુષની છે. ઈન્ટરવ્યુ માટે ગયેલી એ મહિલાના નામનો હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી. તે પ્રોફેશનલ આસિસ્ટંટની જોબ માટે અહીંયા આવી હતી. મહિલાએ જણાવ્યું છે કે મૃતકો સાથે તેને કોઇ જ પરિચય નહોતો.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં