નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

“મોંઘવારીથી જનતા છે ત્રસ્ત, પ્રધાનો ચલાવી રહ્યા છે કરોડોની લૂંટ"

-લોકસભામાં ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાની વિપક્ષની માગણી
-વિપક્ષના હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવી પડી

નવી દિલ્હીઃ મંગળવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાની માગણી કરતા સરકાર પર તીખા આક્ષેપોનો મારો શરૂ કરી દીધો હતો. સ્વરાજે જણાવ્યું હતું કે એક તરફ જનતા મોંઘવારીથી ત્રસ્ત છે અને સરકારના પ્રધાનો કરોડોની લૂંટ ચલાવી રહ્યા છે. સ્વરાજે એકપછી એક બહાર આવેલા કૌભાંડનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આદર્શ કૌભાંડ શમે એ પહેલા ટુ-જી સ્કેમ બહાર આવ્યું અને એ શમે એ પહેલા એર ઈન્ડિયાનું કૌભાંડ અને બાદમાં કે-જી બેસિન કૌભાંડ બહાર આવ્યું. સ્વરાજે જણાવ્યું હતું કે અણ્ણા હજારેનું આંદોલન મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાના આક્રોશનું પરિણામ છે.

બાદમાં લોકસભામાં વિરોધ પક્ષનો હોબાળો વધી જતા સ્પીકરને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. અગાઉ રાજ્યસભાની કાર્યવાહી પણ વિપક્ષના હોબાળાને કારણે અટકાવી દેવી પડી હતી. અગાઉ એવી વાત આવી હતી કે લોકપાલ મુદ્દે વડાપ્રધાન આજે સંસદમાં નિવેદન આપશે પણ બાદમાં સરકાર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વડાપ્રધાન આજે નિવેદન આપશે નહીં. આ તરફ અણ્ણ હજારેના સમર્થકો દેખાવો કરે એવી શક્યતાને પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન ચિદમ્બરમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં