નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સિગરેટના એડિક્ટેડ હો તો આ ચોક્કસ વાંચો!

 
 
સિગરેટના ધૂમાડાથી થતુ નુકસાન ફેફસાને લાંબા સમયે ખરાબ કરે છે

આખી દુનિયામાં સીઓપીડીથી મરનારાઓની સંખ્યા સૌથી વધારે છે


જો તમે કે તમારુ કોઈ સંબંધી સિગરેટનું એડિક્ટેડ હોય તો આ સમાચાર તમારે વાંચવા જેવા છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સિગરેટના કસ લગાવવાથી જે નુકસાન ફેફસાને થાય છે, તે સિગરેટ છોડ્યા પછી પણ લાંબા સમય સુધી રહે છે.

સિડની યુનિવર્સિટીના સંશોધકોની સામે એ વાત આવી છે કે સિગરેટ છોડ્યા પછી સ્વાસ્થયના અન્ય પાસાઓમાં તો સુધારો આવે છે, પણ ફેફસા પર થયેલી ખરાબ અસર લાંબા સમય સુધી રહે છે. માનવામાં આવે છે કે વર્ષ 2020 સુધી આખી દુનિયામાં સીઓપીડીથી મરનારાઓની સંખ્યા સૌથી વધારે છે. આ રોગનું મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે અને તેમાં પણ ખાસ કરીને સિગરેટનો ધૂમાડો.

આ સંશોધનની અધ્યક્ષતા ડેવિડ ક્રીમરે કરી હતી અને તેના તારણને અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટરી સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીના તાજેતરના અંકમાં છાપવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!