નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ટેસ્ટિ ટમાટર દાળ

 
સામગ્રી:

ટમેટા 2

1 નાની ડુંગળી

1 કપ તુવેર દાળ

લસણ 2 કળી

આદુ 1 ઈંચનો ટુકડો

લીલા મરચા 4

આંબલી 2 ઈંચનો ટુકડો

હળદર પાવડર એક ચપટી

લીલા ધાણા

મીઠું સ્વાદ માટે

મસાલો:

રાયના દાણા 1/4 ટેબલસ્પૂન

જીરું 1/4 ટેબલસ્પૂન

અડદની દાળ 1/4 ટેબલસ્પૂન

સૂકા લાલ મરચાં 4

લીમડાના પત્તા 5

તેલ 1 ટેબલસ્પૂન

રીત:

તુવેરની દાળને ધોઈને પાણી અને કચરો કાઢી લો,

બધા જ ટમેટાને ધોઈને નાના ટુકડામા કાપી લો.

લીલા મરચાંને ધોઈને સ્લાઈસમાં કાપી લો.

લસણની કળીને છોલીને પેસ્ટ કરી લો.

આદુને ધોઈને છાલ ઉતારીને પેસ્ટ કરી લો.

આંબલીને અડધા કપ ગરમ પાણીમાં ડૂબાડીને એનું પાણી નિતારી લો.

લીલા ધાણાને ધોઈને સમારી લો.

તુવેર દાળ, ટમેટા અને લીલા મરચાંને એક જ વાસણમાં મૂકો.

તુવેર દાળ, ટમેટા અને લીલા મરચાંને પ્રેશર કુકરમાં 2 કપ પાણી સાથે 3 સીટી થાય ત્યા સુધી પકાવો.

એક પેનમાં તેલ ગરમ કરો અને પછી બધો જ મસાલો ઉમેરો.

જયારે રાયના દાણા ફૂટી જાય એ પછી લસણ અને આદુની પેસ્ટ અને બાકી રહેલા મરચાં અને ડુંગળી ઉમેરો.

જ્યા સુધી ડુંગળીનો રંગ બદલાવા લાગે ત્યા સુધી સાંતડો.

પછી તેમા બાફેલી તુવેર દાળ, ટમેટા, આંબલીનું પાણી અને હળદર ઉમેરો.

ધીમી આંચ પર 5 મિનીટ સુધી પકાવો અને પછી ઉતારી લો.

લીલા ધાણાથી ગાર્નિશ કરીને ટેસ્ટિ ટમાટર દાળને ભાત અને પાપડ સાથે સર્વ કરો.


Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં