નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તાતા મોટર્સનું સાણંદમાં ફરીથી ઉત્પાદન શરૂ

 
સ્થાનિક સ્તરે માગ ઘટી હોવાને કારણે તાતાએ તેના પૂણે અને સાણંદ ખાતે આવેલા ઉત્પાદન એકમોમાં હંગામી ધોરણે પેસેન્જર વાહનો બનાવવાનું કામકાજ બંધ કરી દીધું હતું પરંતુ હવે તેણે ઉત્પાદન ફરી શરૂ કરી દીધું છે તેમ કંપનીએ જણાવ્યું હતું.

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૫ દિવસ સુધી બંધ રખાયા બાદ તાતાના સાણંદ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. સમારકામ અને ઉત્પાદનને વ્યવસ્થિત કરવા માટે પ્લાન્ટ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો. તાતા મોટર્સના પ્રવકતાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સાણંદની જેમ પૂણે ખાતે આવેલા એકમમાં પણ સાત દિવસ માટે ઉત્પાદન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું, જોકે તેમણે એ નહોતું જણાવ્યું કે કંપનીએ તેનાં ઉત્પાદનમાં કેટલી માત્રામાં કાપ મૂક્યો છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે પૂણે, પાર્થનગર, જમશેદપુર અને લખનઉ ખાતે આવેલા એકમમાં વેપારી વાહનોનું ઉત્પાદન રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

તાજેતરમાં જ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ)એ જણાવ્યું હતું કે જુલાઈ માસ દરમિયાન તાતા મોટર્સનું પેસેન્જર વાહનોનું ઉત્પાદન ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૨૧.૬૩ ટકા ઘટીને ૨૮,૩૪૪ એકમોનું થઈ જવા પામ્યું હતું. આ સમયગાળા દરમિયાન સ્થાનિક બજારમાં કંપનીનું વેચાણ ૩૨.૬૪ ટકા ઘટીને ૨૨,૦૧૧ એકમનું નોંધાયું હતું. સાણંદ ખાતે તાતા નેનો અને પૂણે ખાતે તે ઇન્ડિકા અને ઇન્ડિકાનું ઉત્પાદન કરે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ