નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સુરતી ઉંધિયુ

 
 
સુરતી ઉંધિયુ

શિયાળો અને તેમાં પણ ઉત્તરાયણના તહેવારમાં ઉંધિયાની મજા જ કંઈ ઓર હોય છે

સામગ્રી:

100 ગ્રામ, સુરતી પાપડી આખી
100 ગ્રામ, કાચા કેળાના ટુકડા
100 ગ્રામ શક્કરિયા, છાલ ઉતારેલા
100 ગ્રામ રતાળુના ટુકડા
100 ગ્રામ, રિંગણ, બે ભાગમાં સમારેલા
4-5 લીલા મરચા
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1/2 ટીસ્પૂન લસણ પીસેલુ
1 ટેબલસ્પૂન લીલા ધાણા ઝીણા સમારેલા
1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
4 ટેબલસ્પૂન તેલ
1/4 ટીસ્પૂન હીંગ
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન અજવાઈન
મીઠું સ્વાદ અનુસાર
1/2 ટેબલસ્પૂન ખાંડ
લીંબુનો રસ

મુઠિયા માટે:

100 ગ્રામ મેથીના પાન, ઝીણા સમારેલા
1/2 કપ ચણાનો લોટ
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1 ટેબલસ્પૂન લીલુ નાળિયેર
મીઠું, સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન તેલ

રીત:

મુઠિયા:

- મુઠિયા માટેની બધી જ સામગ્રીને મિક્સ કરીને તેમાંથી કણક બાંધો. તેમાંથી નાના મુઠિયા વાળો.

- 1/4 કપ જેટલુ તેલ ગરમ કરો અને તેમાં મુઠિયાને 2 મિનીટ જેટલી વાર સુધી તળીને બાજુમાં રાખી દો.

ઉંધિયુ:

- લીલા મરચા, આદુ, લસણ અને લીલા ધાણાની પેસ્ટ બનાવો.

- શક્કરિયા, રતાળુ અને રિંગણને આ પેસ્ટમાં રગળીને 30 મિનીટ સુધી મેરિનેટ થવા માટે રહેવા દો.

- 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં મેરિનેટ કરેલા બધા શાકભાજી ઉમેરીને બરાબર હલાવો. ઢાંકીને 4-5 મિનીટ સુધી પાકવા દો.

- હવે તેમાં પાપડી, હળદર, ઘઉંનો લોટ, અજવાઈન અને મીઠું ઉમેરો. ફરીથી ઢાંકીને ધીમી આંચ પર બધા શાકભાજી ચઢી ન જાય ત્યા સુધી પાકવા દો.

- લીલા ધાણા, લીંબુનો રસ અને જરૂર પડે તો થોડુ પાણી ઉમેરો. સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

- ત્યાર બાદ તેમાં તળેલા મેથીના મુઠિયા ઉમેરો અને ઢાંકીને રાખો અને લગભગ 8-10 મિનીટ સુધી પાકવા દો. જ્યા સુધી શાકભાજીમાં મસાલો અને સ્વાદ બેસી ન જાય અને તે ચઢી ન જાય ત્યા સુધી તેને પકાવો.

- જો ઈચ્છો તો તેના પર થોડી સેવ ભભરાવો અને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરો.

તૈયાર છે સુરતી ઉંધિયુ.
 
Previous Story
 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!