નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચણા મસાલા

 
 
ચણા મસાલા

સામગ્રી:

1 કપ કાબૂલી ચણા
1 ડુંગળી
1 ટમેટું
1 લીલું મરચું
4-5 કળી લસણ
આદુનો એક ઈંચનો ટુકડો
2-3 તમાલ પત્ર
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન ધાણા પાવડર
1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
1 ટીસ્પૂન લીલી ચાના પાન
3 ટેબલસ્પૂન વેજીટેબલ તેલ
મીઠું સ્વાદ અનુસાર
ગાર્નિશ કરવા માટે લીલા ધાણા

રીત:

- કાબૂલી ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો.

- એક સફેદ કપડાંનો ટુકડો લો. તેમાં વચ્ચેના ભાગે લીલી ચાના પાન મૂકીને કપડાંને વાળી લો અને તેને બાંધી લો. હવે કાબૂલી ચણા અને કપડામાં વિંટેલી ચાના પાનને પ્રેશર કૂકરમાં બાફી લો. આમ કરવાથી ચણા પર બ્રાઉન કલર આવી જશે. તમે ઈચ્છો તો ચાની ભૂકી પણ લઈ શકો છો.

- હવે ડુંગળી, ટમેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ-લસણને પીસીને તેની પેસ્ટ બનાવી લો.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલ પત્ર ઉમેરી 30 સેકન્ડ માટે સાંતળો. તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુંધી સાંતળતા રહો. (જ્યારે ગ્રેવી પાકી જશે ત્યારે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે.)

- તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરીને 2-3 મિનીટ સુધી પાકવા દો.

- હવે તેમાં પાણી ઉમેરીને જરૂર પ્રમાણે ઘટ્ટ ગ્રેવી પાકવા દો. તેને ઉકળવા દો.

- અંતમાં તેમાં બાફેલા ચણા ઉમેરો. બાફેલા ચણાનુ પાણી પણ તેમાં ઉમેરો પણ ચા બાંધેલુ કપડુ દૂર કર્યા પછી જ. હવે ચણા મસાલાને 5-7 મિનીટ સુધી મધ્યમ આંચ પર પાકવા દો.

- લીલા ધાણાં સાથે ગાર્નિશ કરીને પરોઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં