નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જીરુમાં છુપાયેલા આ ફાયદાઓને આપ જાણો છો?

 
  જો આપ ઘરઘથ્થુ ઉપાયથી આપના પેટના દર્દને દુર કરવા માંગતા હોવ તો આ રહ્યાં જીરુના કેટલાંક ફાયદા આનાથી ન ફક્ત આપના પેટના દર્દ દુર થશે પણ તેનાથી અન્ય પણ ઘણાં રોગો દુર થશે.


-હિસ્ટીરિયાના દર્દીઓએ ગરમ પાણીમાં લીંબૂ,મીઠું, જીરુ, હિંગ જરાં શેકેલી, ફુદીનો મેળવીને પીવાથી આ રોગથી લાભ મળે છે.
-જીરા પાવડરમાં હીંગ અને સિંધાલુણ એક એક ચમચી મેળવી તેને પેટ પર લગાવવાથી ગેસની બીમારીથી છુટકારો મળે છે.
-જો ઉલટીની તક્લિફ હોય તો એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, થોડુ જીરુ, બે નાની ઈલાચી વાટી દો આ બધુ જ મિશ્રણ દર બે કલાકના અંતરે પીઓ આપને એક દિવસમાં ફાયદો થઈ જશે.
-લૂ લાગી હોય તો નારિયલ પાણીની સાથે કાળુ જીરુ પીસીને શરીર પર લેપવાથી આરામ મળે છે.
-દાંતમાં સડો થવાને કારણે દર્દ થતું હોય તો સીંધાલુણ મીઠું, જીરુ,ગુંદર અને હરડે મિક્સ કરી તેનું ચુરણ બનાવી લો આ ચૂરણ દિવસમાં બે વખત દાંત પર માંજવાથી ઘણો લાભ થાય છે.
-થાયરોડની બીમારી હોય તો એક ગ્લાસ પાલકના રસમાં એક ચમચી મધ અને 1/4 ટેબલ સ્પૂન જીરુ ઉમેરી તેનું સેવન કરવાથી લાભ થાય છે.
-વરીયાળી અને જીરાના સેવનથી એસીડીટીની બીમારીથી રાહત મળે છે.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં