નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ જાણશો તો ખબર પડશે કોને કેવાય 'ગુજરાતી પ્રવાસી'

 
ભારતના સામાન્ય પ્રવાસિયોની સરખામણીમાં

- સર્વાધિક 15 જગ્યાઓમાં જનારા પ્રવાસિયો ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સૂરતના રહેવાસી
- આટલુ જ નહીં, ગુજરાતના પ્રવાસિયોનો સરેરાશ સમૂહ 5.25 લોકોનો
- ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા, સોમનાથ, સાપૂતારા અને સાસણ ગિર જવાનુ પસંદ કર્યુ
- ગુજરાતની બહાર માઉન્ટ આબૂ, ગોવા, પંચમઢી, દમણ અને દીવ
ભારતભરના પ્રવાસી સ્થળોએ વર્ષ 2010ની શરદ ઋતુમાં પંહોચેલા પ્રવાસીઓના આંકડાઓ અને તેમના દ્વારા ખર્ચવામાં આવેલા નાણા અંગેના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે કે ભારતીય પ્રવાસિયોના કુલ ખર્ચમાં માત્ર ગુજરાતી પ્રવાસિયોની ભાગીદારી 7% છે. સામાન્ય પ્રવાસીની એક-બે દિવસના પ્રવાસનો સરેરાશ ખર્ચ જ્યાં 11063 રૂપિયા રહ્યો છે ત્યાંજ ગુજરાતનો પ્રવાસી તેના પ્રવાસ પાછળ 16461 રૂપિયા ખર્ચ કરે છે.

આટલુ જ નહીં, ગુજરાતના પ્રવાસિયોનો સરેરાશ સમૂહ 5.25 લોકોનો છે, જે રાષ્ટ્રીય સ્તરે પ્રવાસન સમૂહોમાં જોડાયેલા લોકોની સરખામણીમાં 20% વધારે છે. પાછલા વર્ષે 2010માં ભારતભરથી પ્રવાસીયોએ લગભગ 500 મિલિયન મુસાફરી કરી છે. તેમાં સર્વાધિક 15 જગ્યાઓમાં જનારા પ્રવાસિયો ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સૂરતના રહેવાસી છે.

ગુજરાતી પ્રવાસિયોએ ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા, સોમનાથ, સાપૂતારા અને સાસણ ગિર જવાનુ પસંદ કર્યુ જ્યારે ગુજરાતની બહાર માઉન્ટ આબૂ, ગોવા, પંચમઢી, દમણ અને દીવ, મહાબળેશ્વર અને અંદમાન નિકોબાર પણ પસંદ કર્યા છે.
ગુજરાતનો પ્રવાસી 50 ટકા વધારે રૂપિયો ખર્ચ કરે છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં જ વર્ષ 2010ની શરદ ઋતુના પ્રવાસિયોના આંકડાઓ પ્રકાશિત કરનારી કંપની હોલિડે આઈક્યૂ.કૉમે કર્યા છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!