નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ક્યુબામાં થયા સૌથી પહેલા સમલૈંગિક લગ્ન

 
 
તેમના લગ્ન ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ટ્રો માટે એક ભેટ છે

તેમણે જે દિવસે લગ્ન કર્યા છે, તે કાસ્ટ્રોનો જન્મદિવસ પણ છે


ક્યુબામાં થયેલા સૌથી પહેલા સમલૈંગિક લગ્નમાં એક પુરુષ અને એક ટ્રાન્સજેન્ડર મહિલાએ શનિવારે લગ્ન કરી લીધા છે. ક્યુબામાં સમલૈંગિક લગ્નો ગેરકાયદેસર છે, પરંતુ દુલ્હન વેંડી એરિપ્પા કાયદેસર એક મહિલા છે. વેંડીએ 2007માં એક ઓપરેશન કરાવીને પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યુ હતુ. ક્યુબામાં લિંગ પરિવર્તનને કાયદેસર માન્યતા પ્રાપ્ત થઈ છે.

વેંડીના મંગેતર ઈગ્નેશિયો ઈસ્ટ્રાડા ક્યુબામાં સમલૈંગિક મેરેજના સમર્થનમાં કામ કરી રહેલા લોકોમાં એક જાણીતું નામ છે. ઈગ્નેશિયો એચઆઇવી પોઝિટિવ પણ છે. વર-વધૂનું કહેવુ છે કે તેમના લગ્ન ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ટ્રો માટે એક ભેટ છે, કારણ કે તેમણે જે દિવસે લગ્ન કર્યા છે, તે કાસ્ટ્રોનો જન્મદિવસ પણ છે.

સમલૈંગિક પુરુષ અને સ્ત્રી, દ્વિલિંગી અને ટ્રાન્સજેન્ડર લોકો ક્યુબામાં કેટલાય વર્ષોથી સરકારી ભેદભાવના શિકાર રહ્યા છે અને ક્રાંતિના શરૂઆતના દિવસોમાં આવા કેટલાય લોકોને શ્રમશિબિરોમાં મોકલી દેવામાં આવતા હતા, જ્યાં તેમના ક્રાંતિ વિરોધી મૂલ્યોને ખતમ કરી દેવામાં આવતા હતા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!