નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પનીર ચીઝના લીલવા ઘૂઘરા

 
 
પનીર ચીઝના લીલવા ઘૂઘરા

સામગ્રી:

2 કપ ઘઉંનો લોટ
500 ગ્રામ લીલા વટાણા
500 ગ્રામ તુવેર
2 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં
1/2 કપ સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
ખાંડ અને લીંબુ સ્વાદ પ્રમાણે
તેલ, જરૂર પ્રમાણે
પનીર-ચીઝ જરૂર પ્રમાણે

રીત:

- લીલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો.

- કઢાઇમાં બે ચમચા તેલ ઉમેરી તેમાં વટાણા-તુવેરનો ક્રશ કરેલો માવો ઉમેરો અને તેમાં મીઠું, લીંબુ, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર ભેળવીને થોડી વાર ચડવા દો.
- ઠંડુ પડે એટલે તેમાં પનીરના નાના ટુકડા અને ચીઝ છીણીને ભેળવો.
- ઘઉંના લોટમાં મીઠું નાખીને લોટ બાંધો.
- તેમાંથી પૂરી વણો અને તેમાં પૂરણ ભરી ઘૂઘરાનો આકાર આપો.
- ગરમ તેલમાં તળીને કોથમીરની ચટણી સાથે સ્વાદ માણો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ