નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતનો એક એવો વિસ્તાર જ્યાં લગ્ન વીના સ્ત્રી-પુરૂષ રહે છે સાથે

 
પાકુડ. એક બાજુ સરકાર જ્યાં લુપ્ત થઈ રહેલી આદિવાસી જનજાતિને મુખ્ય ધારા સાથે જોડવા પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહીં છે, ત્યાંજ કઇંક એવી સામાજીક માન્યતાઓ આ જ રસ્તે આજે પણ અવરોધ બનીને ઊભી છે. દુરદુરના પહાડોમાં રહેનારા આ લોકોમાં વિવાહ અને ભોજન માટે અનોખી પરંપરા છે, જે તેઓને સામાજીક માન્યતા પ્રદાન કરે છે.
- પુરૂષ તેમજ મહિલા લગ્ન કર્યા વીના જ વર્ષો સુધી એક બીજાની સાથે રહે છે
- રીતિ-રિવાજો પ્રમાણે ભોજનમાં ઓછામાં ઓછું ભાત અને હડિયા દારૂ જરૂરી છે
- તેમની વચ્ચે તાલમેલ નથી બેસતો તો આ લોકો એક બીજાથી અલગ પણ થઈ જાય છે
- આ મહિલાઓને અન્ય મહિલાઓની જેમ જ સિંદૂર નહીં લગાવી શકવાનું દુઃખ તો છે જ
શુ છે માન્યતા? અહીંના સમાજમાં પુરૂષ તેમજ મહિલા લગ્ન કર્યા વીના જ વર્ષો સુધી એક બીજાની સાથે રહે છે, આ દરમિયાન તેમના બાળકો પણ થાય છે. સામાજીક ભોજન વીના મહિલાઓ ના તો સિંદૂર લગાવે છે, કે ના તો તેઓને વૈવાહિક માન્યતા મળે છે.

હાંશિયામાં મુકાઈ ગયેલા અને ગરીબીનો ડંખ સહન કરી રહેલા આ પરિવારો દ્વારા ભોજન નહીં આપી શકવાની સ્થિતિમાં જીવનના અંતિમ સમયમાં ભોજન આપવાના કારણે વૈવાહિક માન્યતા મળી શકે છે.

રીતિ-રિવાજો પ્રમાણે ભોજનમાં ઓછામાં ઓછું ભાત અને હડિયા દારૂ જરૂરી છે. પરંપરા પ્રમાણે વિવાહ અગાઉ આ લોકો પરસ્પરનો તાલમેલ બેલાડવા એક બીજાની સાથે જ રહે છે. જો કોઈ કારણે તેમની વચ્ચે તાલમેલ નથી બેસતો તો આ લોકો એક બીજાથી અલગ પણ થઈ જાય છે અને ફરીથી તે જ વીધિ પ્રમાણે નવા પાત્રને પસંદ કરે છે.
ભોજન પછી મહિલાઓ લગાવે છે સિંદૂર: પાકુડથી લઈ અમડાપાડાના પહાડી બહુલ સિંગારસી ગામની સુરજી પહાડિયન, કમલી પહાડિયન સહિત જાણે કેટલીય મહિલાઓ છે જે કેટલાય વર્ષોથી પોતાના પતિ સાથે રહે છે, પરતુ ભોજન નહીં કરાવી શકવાથી સમાજે તેમને વૈવાહિક દરજ્જો નથી આપ્યો.

આ મહિલાઓને અન્ય મહિલાઓની જેમ જ સિંદૂર નહીં લગાવી શકવાનું દુઃખ તો છે જ, સાથે પુરૂષોને પણ એવો ડર રહ્યાં કરે છે કે ક્યાંક વૈવાહિક માન્યતા ન હોવાથી કોઈ તેમની જીવન સંગિનિના માથે અન્ય પુરૂષનો થપ્પો ન લગાવી દે.
સેવાનિવૃત સૈનિકે બીડુ ઝડપ્યું: સદિયોથી ચાલી આવતી આ પહાડી મહિલાઓની પરંપરાને સામાજિક માન્યતા અપાવાનું બીડુ એક પૂર્વ સૈનિકે ઝડપ્યું છે. પાકુડના પુર્વ સૈનિક વિશ્વનાથ ભગત પોતે સેવી સંસ્થા સેવા ભારતીના સૌજન્યથી પાછલા બે વર્ષમાં લગભગ ચાર જોડાઓના સામૂહિક વિવાહ તેમજ ભોજન કરાવી ચુક્યા છે. આ વિવાહમાં ડઝનબંધ એવા જોડા એવા મળી રહે છે જેઓ બાળકોના માતા-પિતા હોય છે.
ખુલ્લો છે સરકારી ખજાનોઃ જિલ્લાના કુલ દસ હજારથી વધારે પહાડીઓ માટે સરકાર તરફથી કેટલીય કલ્યાણકારી યોજનાઓ ચલાવાઈ રહીં છે. સરકાર દ્વારા તેમના માટે પ્રત્યેક મહિને મફત 35 કિલો અનાજ આપવામાં આવે છે, જ્યારે તેમના બાળકોને નિઃશુલ્ક શિક્ષા સાથે છાત્રાલયો પણ ખોલવામાં આવ્યાં છે. દસમું પાસ પહાડી યુવકોને ડાયરેક્ટ પ્લેસમેન્ટ, મફત સ્વાસ્થ સુવિધાઓ આપવા માટે કેટલીય યોજનાઓ પણ ચાલી રહીં છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !