નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક વખત લેશો અહીંની મુલાકાત, ક્યારેય નહીં ભુલી શકો..!

 
પ્રસિદ્ધ ધારાવાહિક જંગલ બુકના મોગલીને કોઈ ભૂલી શકે છે? આ એક એવું કેરેક્ટર હતું કે જેને બાળકો જ નહીં મોટેરાઓના દિલમાં ખાસ સ્થાન હતું.

પણ શું આપને ખબર છે મોગલી રહેતો ક્યાં હતો? મધ્યપ્રદેશ સ્થિત કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, જી હાં, તેનો ઉલ્લેખ આ સિરીયલમાં કરવામાં આવ્યો નથી. પણ જંગલ બુક એશિયામાં વિખ્યાત કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાનના એક છોકરાની રિઅલ સ્ટોરી પરથી પ્રેરિત છે. નોલેજ પેકેજ અંતર્ગત આજે અમે આપને આ ઉદ્યાન વિશે થોડી માહિતી આપીશું.

મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે જે રાષ્ટ્રિય પાર્ક, જંગલ, ધાર્મિક સ્થળ અને પ્રાકૃતિના પ્રેમ એટલે કે ઝરણા અને હિલ સ્ટેશન માટે પ્રખ્યાત છે. પર્યટનની દ્રષ્ટિએ તો આ રાજ્યમાં એ બધુ જ હાજર છે જે એક વ્યક્તિને તેની રજાઓ ગાળવા જોઈએ.

જો આપ રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્લાન બનાવી રહ્યાં છો તો તે ખરાં રોમાંચથી કંઈ ઓછું નથી. કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાન આપ માટે એક સારો વિકલ્પ બની શકે છે.

ખઆ ભારત જ નહીં એશિયાના એક પ્રમુખ રાષ્ટ્રિય ઉદ્યાન છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જ આપનું મન મોહી લેશે. કાન્હા જીવ જંતુઓના સંરક્ષણમાટે વિખ્યાત છે અહીં આપને પશુઓની વિભિન્ન પ્રજાતિયો આસાનીથી જોવા મળે છે.

જંગલબૂકના પાત્રો મોગલી, બગીરી અને શેર ખાનનું નિવાસ સ્થળ છે કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાન. અહીં આપ જીપ સફારી દ્વારા આખા ફોરેસ્ટની મુલાકાત લઈ શકો છો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગાઈડ આપને આખા રાષ્ટ્રિય ઉદ્યાનની સફર કરાવે છે આ માટે આપે એક દિવસ પહેલાં બુકિંગ કરાવી પડે છે.

અહીં આપને સાબર, વાઘ, પક્ષી, બામની દાદર, હરણ અને મોર તો તમે સરળતાથી જોઈ શકો છો. જો આપ ગરમનીની સિઝનમાં જશો તો અહીં આપને અન્ય દુર્લભ જંતુઓ પણ જોવા મળશ
ે.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !