નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે ભારતના સૌથી ધનિક અને સૌથી ગરીબ મુખ્યમંત્રી

 
 
જો ભારતના સૌથી ધનિક અને સૌથી ગરીબ સીએમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી દેશના સૌથી ધનિક સીએમ છે. જ્યારે પશ્ચિમ બંગાળના સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સૌથી ગરીબ મુખ્યમંત્રી છે.

માયાવતી - ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રીનો તાજ જાય છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બહેન માયાવતીને. બહેનજીની પાસે 86 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બહુજન સમાજ પાર્ટીના મુખિયા માયાવતીની પાસે 75 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિ છે, જેમાં ઓખલામાં એક 15.5 કરોડ રૂપિયાનું કોમર્શિયલ સેન્ટર અને સરદાર પટેલ રોડ પર એક 54 કરોડ રૂપિયાનો પ્લોટ સામેલ છે. આ સિવાય બહેનજીની પાસે 90 લાખ રૂપિયાની જ્વેલરી પણ છે.

પ્રકેશા સિંહ બાદલ - પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદ દેશના બીજા નંબરના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. બાદલની પાસે 8.6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 4 કરોડ રૂપિયાની ફાર્મલેન્ડ અને અંદાજે 2 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિ છે. આ સિવાય 38 લાખની જ્વેલરી પણ બાદલની સંપત્તિમાં સામેલ છે.

એન કિરણકુમાર રેડ્ડી - આંધ્રપ્રદેશના સીએમ કિરણ કુમાર રેડ્ડી પણ આ લિસ્ટમાં સામેલ છે. રેડ્ડી દેશના ત્રીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે. તેમની પાસે 8.1 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 2.7 કરોડ રૂપિયા તો તેમના ઘરની જ કિંમત છે.

બીએસ યેદુરપ્પા - કર્ણાટકના યેદુરપ્પા બીજેપીના કદાવર નેતા માનવામાં આવે છે. તેમની પાસે 5.38 કરોડ રૂપિયાની સંપત્તિ છે. યેદુરપ્પાની પાસે 31.5 લાખ રૂપિયાનું સોનું અને 15.9 લાખ રૂપિયાની કિંમતની ચાંદી છે. જ્યારે 3 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.

નવીન પટનાયક - નવીન પટનાયક ઓરિસ્સાના મુખ્યમંત્રી છે. તેમની કુલ સંપત્તિ 4.7 કરોડ રૂપિયા છે. તેમની પાસે ભુવનેશ્વરમાં 1.5 કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ છે. તેની સાથે જ 3 કરોડથી વધારેની પ્રોપર્ટી દિલ્હી અને ભુવનેશ્વરમાં છે. તમને જણાવી દઇએ કે નવીન પટનાયક કુંવારા છે અને છતાં પણ તેમની પાસે 1.5 લાખની જ્વેલરી છે.

ભુપેન્દ્રસિંહ હુડ્ડા - હરિયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની પાસે અંદાજે 3.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. હુડ્ડાની પાસે અંદાજે 55 લાખ રૂપિયાનું સોનું છે.
ઉમર અબ્દુલ્લા - જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની પાસે 2 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં હિમાચલમાં તેમની એક ફેકટરી અને દિલ્હીમાં એક ફ્લેટ સામેલ છે. આ સિવાય ઉમર અબ્દુલાની પાસે 40 લાખની જ્વેલરી છે.

નરેન્દ્ર મોદી - ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે 1.78 કરોડની સંપત્તિ છે. તેમાં ગાંધીનગરમાં જ 1.65 કરોડ રૂપિયાનો એક ફ્લેટ છે, જ્યારે આઠ લાખ રૂપિયાની બેન્ક ડિપોઝીટ છે.

આ તો થઇ દેશના સૌથી ધનિક સીએમ. હવે આપણે વાત કરીએ દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી અંગે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તેમની કુલ સંપત્તિ ફક્ત 15.2 લાખ રૂપિયા છે. તેમની બેન્ક ડિપોઝીટ 6.42 લાખ, એલઆઇસી 2.6 લાખ રૂપિયાની છે.

ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !