નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આહ નહીં, આહા!!

 
યોગના કેટલાક આસન શરીરને સ્ફૂર્તિલું રાખવા સાથે રોગ પણ દૂર કરી શકે છે.

ગયા અંકમાં આપણે નટરાજાસન વિશે જાણ્યું. આ વખતે જાણીએ શલ્ભાસન વિશે. શલ્ભાસન બે રીતે કરવામાં આવે છે - અર્ધશલ્ભાસન અને શલ્ભાસન. આ બંને આસન એકબીજાના પૂરક હોવાથી બંને કરવાથી બમણો લાભ થઇ શકે છે. અલબત્ત, શરૂઆતમાં આ આસન કરવાનું થોડું મુશ્કેલ લાગે. તે માટે પ્રારંભમાં અર્ધશલ્ભાસન કરો અને થોડા દિવસ બાદ જ્યારે ટેવ પડે ત્યારે શલ્ભાસન કરવાનો પ્રયત્ન કરો.

અર્ધશલ્ભાસન
આ આસન કરવા માટે જમીન પર શેતરંજી પાથરી ઊંધા સૂઇ જાવ. બંને હાથની મુઠ્ઠી વાળી બંને જાંઘની વચ્ચે રાખો. હવે શ્વાસ અંદર લેતાં ડાબા પગને ઊંચો કરો. ગોઠણ વળી ન જાય તેનું ધ્યાન રાખવું. આ સ્થિતિમાં પંદર સેકંડ રહ્યા બાદ ફરી પહેલાંની સ્થિતિમાં આવી જાવ. આ જ ક્રિયા જમણા પગથી કરો. વારાફરતી છ વાર બંને પગ દ્વારા આ ક્રિયા કરો.

શલ્ભાસન
જમીન પર ઊંધા સૂઇ જાવ. બંને હાથની મુઠ્ઠી વાળીને જાંઘની વચ્ચે રાખો. પછી શ્વાસ અંદર લેતાં બંને પગ એક્સાથે (ગોઠણ વળે નહીં તે રીતે) ઊંચા કરો. આ સ્થિતિમાં દસ સેકન્ડ રહ્યા પછી ઉચ્છવાસ બહાર કાઢતાં અગાઉની સ્થિતિમાં આવી જાવ. આ આસન ત્રણથી ચાર વાર કરો.

બંને આસનના ફાયદા
- સાઇટિકાનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થાય છે.
- પગની પિંડીની નસને મજબૂત કરે છે. જો રાતે સૂતી વખતે પગની નસ ચડી જતી હોય તો આ આસનો કરવાથી સમસ્યા હલ થઇ જશે.
- કમર મજબૂત અને લચકીલી બને છે.
- દિવસભર કામમાં રત રહેતી ગૃહિણીઓ અને સતત કોમ્પ્યુટર પર કામ કરનારા લોકો માટે આ આસન ઉપયોગી છે.
- સવૉઇકલની સારવારમાં ઉપયોગી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !