નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હોમ લોન લેતા પહેલા આ ખાસ વાંચી લેજો

 
-20-70 લાખ રૂપિયાના મકાન ખરીદનારાઓને થશે વધુ અસર
- છેલ્લે ડિસેમ્બર 2010માં આરબીઆઇએ હોમ લોનની માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમલોન માટે નવી ગાઇડલાઇન જારી કરી છે જેનો અમલ તુરંતની અસરથી થશે. આરબીઆઇએ બેન્કોને કહ્યું છે કે તેઓ હોમલોન આપતી વખતે મકાનની કિંમતમાં સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન અને અન્ય બીજા ખર્ચાઓને સામેલ ન કરે. તેઓ ફક્ત મકાનની વાસ્તવિક કિંમતને આધાર બનાવીને જ હોમ લોન આપે.


ખરીદનાર પર શું પડશે અસર

તેનો મતલબ છે કે હવે હોમ લોન લેનારા ગ્રાહકોએ મકાન ખરીદતા સમયે વધુ પૈસા પોતાના ખિસ્સામાંથી કાઢવા પડશે કેમ કે બેન્ક હવે વધારાના ખર્ચા માટે લોન નહીં આપે. આરબીઆઇએ જણાવ્યા અનુસાર પ્રોપર્ટીની કિંમતમાંથી અલગ ખર્ચા લોનમાં સામેલ કરવા જોઇએ નહીં કેમ કે આ પ્રોપર્ટીનો હીસ્સો નથી. જાણકારોના મતે આ નિર્ણયથી 20-70 લાખ રૂપિયાના મકાનોના વેચાણ પર અસર પડી શકે છે. આ મકાનો મધ્યમવર્ગની પહોંચમાં હોય છે અને આ નિર્ણયની સૌથી વધુ અસર પણ તેમના પર જ પડશે.


શું કહ્યું હતું 2010માં આરબીઆઇએ

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2010માં પણ આરબીઆઇએ હોમલોન માટે નવી ગાઇડલાઇન ઇશ્યુ કરી હતી જે અનુસાર 20 લાખથી વધુ કિંમતના મકાનો પર બેન્ક તેની બજાર કિંમતના ફક્ત 80 ટકા જ લોન આપશે જ્યારે 20 લાખથી ઓછી કિંમતના મકાનો પર બેન્ક તેની કિંમતના 90 ટકાથી વધુ લોન નહીં આપી શકે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !