નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સાત અજાયબીને પણ પાછી પાડે તેવી બ્યુટી, જુઓ તસવીરોમાં

આઈસલેન્ડમાં આવેલા સૌથી વિશાળ તેમજ ગ્લેશિયર્સ ધરાવતા ખારા પાણીના સરોવરમાં એક ફોટોગ્રાફરે ગાત્રો થિજવી નાખતી ઠંડીમાં એલેક્ઝાન્ડર ડેસ્કાઉમસ નામના ફોટોગ્રાફરે અદ્દભૂત ફોટોગ્રાફી કરીને ગ્લેશિયર્સના અગાઉ ક્યારેય ન જોવાયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા.

નવાઈની વાત એ છે કે આ સરોવરમાં જામેલા બરફ તેમજ ગ્લેશિયર્સ તાપમાન અનુસાર સતત વધતા તેમજ ઘટતા રહે છે અને તેમના આકારમાં તેમજ દેખાવમાં પરિવર્તન આવતા રહે છે. આ ઘટના અહીં ખૂબજ ટૂંકાગાળામાં બને છે.

દર વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં આ ગ્લેશિયર્સ ઓગળવાનુ શરૂ થાય છે જેના કારણે આ લગૂનમાં નવા જ દ્રશ્યો સર્જાય છે અને આ સાથે જ જાણે આઈસલેન્ડ પર જાણે નવા જીવનની શરૂઆત થાય છે.

એલેક્ઝાન્ડર ડેસ્કાઉમસ એક સાહસિક ફોટોગ્રાફર છે અને તે ફ્રેંચ નાગરિક છે. આ ફોટોગ્રાફર આ લગૂનના પ્રેમમાં એવો પડ્યો હતો કે તેણે તેના ગ્લેશિયર ઓગળતા હોય તેવા સમયે સતત ત્રણ વર્ષ સુધી તેની મુલાકાત લઈ ફોટોગ્રાફીનો પ્લાન બનાવ્યો હતો અને આ વર્ષે તેની ફોટોગ્રાફી કરી હતી.

એલેક્ઝાન્ડરે કહ્યુ હતુ કે હું આ સ્થળના કુદરતી સૌંદર્યથી ખાસ્સો પ્રભાવિત થયો છું. વેરાન પરંતુ ભવ્ય આ સ્થળ લાલિત્યથી ભરપૂર લેન્ડસ્કેપ ધરાવે છે. આમપણ હું ડાર્ક અને પ્રભાવિત કરે એવા લેન્ડસ્કેપ જોવા માંગતો હતો.
 

 

 

 

 
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !