નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પીએફમાં વધુ રકમ જઇ શકે છે તમારા પગારમાંથી

 
- ઇપીએફઓ સાથે જોડાયેલા છો તો તમારા પગારમાંથી પીએફ માટે હવે વધુ રકમ કપાવાની શક્યતા
- દર મહિને રૂ.1000થી ઓછું પેન્શન મેળવનારને રાહત આપી શકાય
- હાલ એમ્પલોયીઝને પેન્શન એકાઉન્ટમાં એમ્પલોયર 8.33 ટકા યોગદાન કરે છે
- જ્યારે સરકાર 1.16 ટકા આપે છે

જો તમે ઇપીએફઓ સાથે જોડાયેલા છો તો તમારા પગારમાંથી પીએફ માટે હવે વધુ રકમ કપાવાની શક્યતા છે. એવું એટલા માટે થઇ રહ્યું છે કે કારણ કે દર મહિને રૂ.1000થી ઓછું પેન્શન મેળવનારને રાહત આપી શકાય.

ઇપીએફઓ એટલે કે એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા લોકોનું પેન્શન ઓછામાં ઓછું રૂપિયા 1000 દર મહિને કરવા માટે 0.63 ટકાનો એક્સ્ટ્રા કોન્ટ્રીબ્યુશન જરૂરી રહેશે. તેના માટે એમ્પલોયીઝનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાથી રકમ કપાય શકે છે. હાલ એમ્પલોયીઝને પેન્શન એકાઉન્ટમાં એમ્પલોયર 8.33 ટકા યોગદાન કરે છે, જ્યારે સરકાર 1.16 ટકા આપે છે. માનવામાં આવી રહ્યું છે કે 0.63 ટકા યોગદાન માટે સરકાર, એમ્પલોયરો અને એમ્પલોયીઝ પર બરાબર બોજ નાંખી શકે છે.

ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 22મી ફેબ્રુઆરીએ યોજાનારી મીટિંગમાં પેન્શન ઓછામાં ઓછું 1000 રૂપિયા દર મહિને કરવાનો નિર્ણય થઇ શકે છે. ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ મુદ્દો 22મી ફેબ્રુઆરીથી એજન્ડામાં સામેલ છે. મીટિંગમાં પાસબુક સરીખા કંટ્રીબ્યુશન કાર્ડ આપવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થશે. તેને 1લી એપ્રીલથી દર મહિને અપડેટ કરાશે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !