નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગોલ્ડ લોન લેનારાઓ માટે RBIએ કરી અગત્યની જાહેરાત

- હવે આરબીઆઇ એ નો યોર કસ્ટમર (કેવાયસી)નો નિયમ આ કંપનીઓ માટે જરૂરી કરી દીધો છે
- કંપની ને લોન લેતા પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે સોનું ગિરવે રાખનાર ગ્રાહક જ સોનાના માલિક છે કે નહીં

ગોલ્ડ લોન આપનાર કંપનીઓ પર રિજર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની નજર સતત વધી રહી છે. સોનાના બદલામાં લોનના નિયમોને બદલ્યા બાદ હવે આરબીઆઇ એ નો યોર કસ્ટમર (કેવાયસી)નો નિયમ આ કંપનીઓ માટે જરૂરી કરી દીધો છે.

ખાસ વાત એ છે કે આ નિયમ આવવાથી ગોલ્ડ લોન કંપની ને લોન લેતા પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે સોનું ગિરવે રાખનાર ગ્રાહક જ સોનાના માલિક છે કે નહીં. આ સિવાય આરબીઆઇના નિર્દેશોના મતે હવે કંપનીઓને ઘરેણાંનો વીમા કરાવાની સાથો સાથ ઘરેણાંની સુરક્ષાની પણ પૂરી વ્યવસ્થા કરવી પડશે.

આરબીઆઇના આ નવા નિયમો અંગે નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈના નિયમ ગ્રાહકોની સગવડતા માટે જ છે. મોટાભાગની કંપનીઓ આરબીઆઇના નિયમ પ્રમાણે કામ કરતી આવી રહી છે. એવામાં કંપનીઓ આરબીઆઇના કેવાયસી નિયમનો પણ અમલ કરશે.

ત્યારે કેટલાંક લોકોનું કહેવું છે કે આરબીઆઇના આ નવા નિયમના લીધે ગોલ્ડ લોન આપનાર કંપનીઓના વેપાર પર કેટલીક નકારાત્મક અસર જોવા મળી શકે છે. ત્યારે આ નિયમમાંથી આવનારા 2-3 મહિનાઓ સુધી કંપનીના માર્જિનમાં દબાણની સાથે 1-2 ટકાનો ઘટાડો આવવાની આશંકા છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!