નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શેરડી કરતાં 3 ગણો ગળ્યો, છતાં ડાયાબિટીસ મટાડવા સક્ષમ

 










-સ્વાદે શેરડી કરતાં પણ ત્રણ ગણો ગળ્યો આ છોડ ડાયાબિટીસ ભગાવવા સક્ષમ

આપણા દેશમાં 2 કરોડથી વધુ લોકો ડાયાબિટીસની બિમારીથી પીડાય છે. એટલું જ નહીં 2020 સુધીમાં આ રોગથી પિડાતા લોકોની સંખ્યા એટલી વધી જશે કે દર પાંચમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર હશે.

આ ડાયાબિટીસનો ઈલાજ કરવાનો એક ઉત્તમ ઉપાય મળી ગયો છે. જે આપને ડાયાબિટીસનો ખાતમો કરવામાં ખૂબ મદદરૂપ થશે. આ આયુર્વેદિક પ્લાન્ટનું નામ સ્ટીવિયા છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ગળ્યુ ખાવું જીવલેણ છે. તેથી જો તેઓ ક્યારેક ગળ્યું ખાઈ લે તો તે બાદ જો આ સ્ટીવિયા પાન ચાવી લેવામાં આવે તો તેમનો ડાયાબિટીસ વધતો નથી.

આ પાંદડા સ્વાદે શેરડી કરતાં ત્રણ ગણા મીઠા છે. તેમ છતાં તે શુગર ફ્રી છે. એટલા બધા મીઠા હોવા છતાં તે શુગર ઘટાડે છે સાથે જ તેનાથી છુટકારો પણ અપાવે છે.

જમવા બેસતા 20 મીનિટ પહેલા સ્ટીવિયા પત્તા ખાવાથી ઘણો ફાયદો થાય છે. આ આયુર્વેદિક છોડ ઘરમાં પણ તમે વાવી શકો છો. એક વખત આ છોડ વાવ્યાં બાદ તેનો ઉપયોગ તમે પાંચ વર્ષ સુધી કરી શકો છો. આ છોડના આટલા બધા ગુણો વિશે જાણ્યાં બાદ ઘણી આયુર્વેદિક કંપનીઓએ તે સંબંધિત દવાઓ બનાવવાની શરૂ પણ કરી દીધી છે.

વિશ્વના આશરે 20 દેશોની સરકારે આ છોડની દવાઓ બનાવવાની માન્યતા આપી દીધી છે. વર્ષ 1920માં સ્ટીવિયાને જાપાનના શુગરના ઓલ્ટરનેટિવ તરીકે રજુ કરવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!