નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સંતાન ન થાય તે માટે આપમેળે અખતરા ન કરો

 
મહિલાઓ ડોક્ટર પાસે જવાનું ટાળીને જાતે દવા લે છે. જેની ક્યારેક આડઅસર થઇ શકે છે.

પ્રશ્ન : મારા લગ્ન થોડા સમયમાં થવાનાં છે. અમે નક્કી કર્યું છે કે અમારે હમણાં સંતાન નથી જોઇતું. શું તે માટે હું ગોળી લઉં તો વાંધો નહીં?

ઉત્તર :તમે દાંપત્યજીવનના પ્રારંભમાં સંતાન નથી ઇચ્છતાં એ સારી વાત છે કેમ કે અગાઉથી પ્લાનિંગ કરીને સંતાન થાય તો તેનો ઉછેર સારી રીતે કરી શકાય છે. જોકે આ માટે તમે સ્વયં કોઇ પ્રકારની ગોળીઓ લેવાના બદલે ગાયનેકોલોજિસ્ટની સલાહ લઇ તે પ્રમાણે દવા, ગોળી અથવા સંતાન ન થાય તે માટે જે ઉપાય જણાવે તે અજમાવો તો વધારે સારું રહેશે.

પ્રશ્ન : મારી સાથે એક યુવાને જબરદસ્તી બે-ત્રણ વાર સંબંધ બાંધ્યો. જોકે હવે મને તેમાં આનંદ આવે છે, પરંતુ ડર લાગે છે કે મને ગર્ભ રહી જશે તો?

ઉત્તર :આપણે ત્યાં સમાજમાં લગ્ન પહેલાં સંબંધ બાંધવો યોગ્ય નથી ગણાતો. એ યુવાને તમારી સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો એમ તમારું કહેવું છે, પણ તમે સાથે એમ પણ જણાવો છો કે તમને મજા આવી રહી છે. આ વાત કોઇને સહેલાઇથી ગળે ઉતરે એમ નથી. છતાં તમને માતૃત્વ ધારણ કરવાનો ડર લાગે છે, તો તમે કોઇ ગર્ભનિરોધક ઉપાય અપનાવી શકો છો.

પ્રશ્ન : મારા પતિ જ્યારે પણ મારી સાથે સંબંધ બાંધે ત્યારે અત્યંત ઝડપથી થાકી જાય છે. એ કહે છે કે એમને સંતોષ થતો નથી અને થાક લાગે છે. આમ થવાનું શું કારણ?

ઉત્તર :તમારા પતિ વધારે પડતી ઉત્તેજનાને લીધે સંબંધ બાંધવામાં ઉતાવળ કરતાં હોય એવું બની શકે. આના લીધે તેમને થાકનો અનુભવ થતો હોય. તમે સંબંધ બાંધતાં પહેલાંની ક્રીડા માટે વધારે સમય ફાળવો અને તેમની ઉત્તેજનાને અન્ય રીતે પણ સંતોષવાનો પ્રયત્ન કરો. આમ કર્યા બાદ તેમને સંબંધ બાંધ્યા બાદ થાક ઓછો લાગશે.

પ્રશ્ન : મેં અને મારા પતિએ ઘણા સમયથી સંતાન થાય એ માટે પ્રયત્ન કર્યા છે. અમારા લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા. અમે કોઇ પ્રકારની દવા કે ઉપાય પણ અજમાવ્યા નથી. છતાં હજી મને સંતાન થતાં નથી. અમારે શું કરવું?

ઉત્તર :તમે બંને કોઇ સારા ડોક્ટરને બતાવી તેઓ જે કહે તે મુજબ ચેકઅપ કરાવો અને ત્યાર બાદ જે રિપોર્ટ આવે તે અનુસાર ડોક્ટરના જણાવ્યા મુજબ દવા લો. નિયમિત દવા લેવાથી સંતાનપ્રાપ્તિની ઇચ્છા ચોક્કસ પૂરી થશે.

પ્રશ્ન : મારી પત્ની સંબંધ બાંધ્યા પછી ખૂબ જ થાકી જાય છે અને સવારે ઊઠ્યા બાદ તેને અંગોમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરે છે. આનું શું કારણ? એ મને દરેક રીતે સાથ આપે છે અને મારા તરફથી હું ક્યારેય જબરદસ્તી કરતો નથી.

ઉત્તર :તમારા પત્ની કદાચ કોઇ પ્રકારના માનસિક તણાવમાં રહેતાં હોય એવું બની શકે. એ તમને શારીરિક રીતે સાથ આપતાં હોય, પણ તેમના મનમાં કોઇ પ્રકારનો તણાવ હોઇ શકે. તમે તેમને સંબંધ બાંધતાં પહેલાં સંપૂર્ણ રિલેકસ કરી અને સંબંધ બાંધવા માટે તૈયાર કરો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!