નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પીપીએફ ખાતેદારો માટે શરૂ થઇ રહી છે આ અનોખી સર્વિસ

- દેશની તમામ મોટી પોસ્ટ ઓફિસોમાં હવે એટીએમ લગાવામાં આવી રહ્યા છે
- જ્યાં પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરનાર પોતાની માસિક આવક, બચત ખાતા, પબ્લિક પ્રોવિડન્ટ ખાતું, પોસ્ટલ લાઇફ ઇન્શયોરન્સ પ્રીમિયમની ચૂકવણી વગેરે તમામ મેન્ટેન કરી શકશે

દેશભરમાં ફેલાયેલા કરોડો પીપીએફ ખાતેદારો માટે એક ખુશખબરી. હવે તમારું પોતાનું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ એકાઉન્ટ જાણવા માટે દોડાદોડ કરવાની જરૂર નથી. અને તેમાંથી નાણાં નીકાળવા માટે દૂર જવાની જરૂર નથી.

હવે આ તમામ કામ તમારા એટીએમમાંથી થઇ જશે. દેશની તમામ મોટી પોસ્ટ ઓફિસોમાં હવે એટીએમ લગાવામાં આવી રહ્યા છે. જ્યાં પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરનાર પોતાની માસિક આવક, બચત ખાતા, પબ્લિક પ્રોવિડન્ટ ખાતું, પોસ્ટલ લાઇફ ઇન્શયોરન્સ પ્રીમિયમની ચૂકવણી વગેરે તમામ મેન્ટેન કરી શકશે. તે ત્યાંથી પૈસા પણ નીકાળી શકશે અને નાંખી શકશે. તેમનું પેન્શન પણ ત્યાંથી મળી જશે. આ સિવાય તેઓ પૈસા પણ બીજી જગ્યા પર ટ્રાન્સફર કરી શકશે.

પોસ્ટ તાર વિભાગનો પ્રસ્તાવ છે કે પહેલાં દેશની 1000 પોસ્ટઓફિસોમાં આવા એટીએમની સુવિધા આપવામાં આવી જોઇએ અને ત્યારબાદ પાંચ વર્ષમાં લગભગ 1.50 લાખ પોસ્ટઓફિસોમાં આપવામાં આવે. પોસ્ટલ બેકિંગ અને પોસ્ટ ઓફિસના પોતાના ડેબિટ કાર્ડને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

દેશભરની પોસ્ટ ઓફિસોમાં દોઢ લાખ કરોડ રૂપિયા જમા છે અને દેશના ખૂણે-ખૂણેથી લોકો આ સર્વિસનો ઉપયોગ કરે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!