નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓફિસમાં ઊંઘ આવે છે? લ્યો અપનાવી જુઓ આ ટિપ્સ

 
  બગાસા આવવા, થાક અનુભવવો કે પછી કામ કરવાનુ મન જ નથી થતુ? આવુ આપણી સાથે પણ થતુ હોય છે ઘણા દિવસો એવા પણ હોય છે.

જ્યારે આગળની રાત્રે 8 કલાકની પૂરી ઊંઘ લીધી હોવા છતા પણ તમને ઊંઘ આવતી હોય છે. પણ જો આવુ વારેઘડીએ થતુ હોય તો તમને અનિદ્રાની પરેશાની હોઈ શકે છે. તમે કેટલા કલાક ઊંઘો છો તે મહત્વનુ નથી પણ તમે કેવી ઊંઘ લો છો તે અનિંદ્રાનુ કારણ બની શકે છે.

*નીચે અમુક ટિપ્સની મદદથી આપ આપની આ સમસ્યા દુર કરી શકશો.

-સૌ પહેલાં તો એ વાત જાણી લો કે આપ જો દિવસની 30 મીનિટ એક્સરસાઈઝ પાછળ ફાળવશો તો આપનો દિવસ સ્ફુર્તીમય રહેશે આ સમયમાં તમે યોગા, હળવી એક્સરસાઈઝ, વોક, જોગિંગ કે પછી સાયકલિંગ કરીને તમારા બોડીને ચાર્જ કરી શકો છો.

- 4 જાયફળને વાટીને તેનો ઝીણો પાવડર બનાવો. દરરોજ એક ટી સ્પૂન આ પાવડર સૂતા પહેલા ખાઈને સૂઓ.

- એક ટી સ્પૂન કોથમીરનો રસ અને મધ ભેળવો. આ મિશ્રણને રોજે પીઓ.

- દૂધમાં મધ મિક્સ કરીને દરરોજ પીઓ. આનાથી અનિદ્રા દૂર થાય છે.

- દરરોજ 3 કપ દહીં ખાવાથી જેને રોજ ઊંઘ ન આવતી હોય તો તેના માટે ફાયદાકારક છે.

- ઊંઘની પરેશાનીને દૂર કરવા રોજ કાચી ડુંગળી પણ ખાઈ શકાય છે.

- તલનુ તેલ અને દૂધીના રસને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને એકાંતરે માથામાં લગાડો. આપને રાત્રે સારી ઊંઘ આવશે તેથી દિવસ દરમિયાન મુશ્કેલી નહીં થાય

- દૂધીના પાનને શેકીને ખાવામાં શાકભાજી તરીકે લઈ શકાય, આ પણ અનિંદ્રાને ભગાડવાનો સારો ઉપાય છે.

- શારીરિક કસરત કરો અથવા શારીરિક શ્રમ પડે તેવી પ્રવૃતિ કરો, ચાલવુ, જોગિંગ કરવી, દોરડા કૂદવા અને તરવુ એ સારી શારીરિક પ્રવૃતિઓ છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!